Site icon

વાવાઝોડાને કારણે મુંબઈ શહેર પર શું આફત આવશે; જાણો અહીં…

 ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૫ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

હવામાન વિભાગે આવતી કાલથી સતત ત્રણ દિવસ કોંકણના કાંઠે ભારે પવનની આગાહી કરી છે. કેટલાંક સ્થળોએ વરસાદ સાથે પ્રતિ કલાકે 70 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા સુરક્ષા માટે તમામ ચોપાટીઓ ઉપર ૯૩ લાઇફગાર્ડની નિમણૂક કરવામાં આવી છે. 

આ ઉપરાંત કટોકટીની સ્થિતિને પહોંચી વળવા ઉપકરણોની સાથે છ ફાયર સ્ટેશન ઉપર પણ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે સિંધુદુર્ગ, રત્નાગિરિ, ગોવાના દરિયાકાંઠેથી ગુજરાત સુધીના વિસ્તારને વાવાઝોડાની અસર થશે. સાવચેતીનાં પગલાં તરીકે, મુંબઈના નરીમાન પૉઇન્ટ, નાના ચોક, દાદર, અંધેરી, કુર્લા, મલાડ અને બોરિવલી ખાતેના વિવિધ ઇમર્જન્સી ફાયર સ્ટેશન પર જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે.

 અમેરિકામાં બાયડનની સરકારમાં ભારતીય મૂળનાં નીરા ટંડનને મળી આ મહત્વપૂર્ણ જવાબદારી

ઉલ્લેખનીય છે કે સાવચેતીના પગલા તરીકે જમ્બો કોવિડ સેન્ટરમાંના ગંભીર ૩૯૫ દર્દીઓને મ્યુનિસિપલ અને રાજ્ય સરકારી હોસ્પિટલોમાં ખસેડવામાં આવશે. શનિવાર અને રવિવારના દિવસે મુંબઈમાં રસીકરણ બંધ રહેશે. માછીમારોને પણ દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.

Malegaon Municipal Corporation Namaz Case: સરકારી ઓફિસમાં નમાઝ પઢવાની છૂટ કોણે આપી? માલેગાંવમાં વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો; કમિશનર પાસે મંગાયો ખુલાસો.
Sandeep Sagale Gujarat CEO: ગુજરાત ચૂંટણી પંચમાં મોટો ફેરફાર: સંદીપ સાગલેએ સંભાળ્યો મુખ્ય ચૂંટણી અધિકારીનો પદભાર; આગામી ચૂંટણીઓ માટે તંત્ર સજ્જ.
Indian Railways Gujarat: ગુજરાતમાં ભારતીય રેલવેના રેકોર્ડ રોકાણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને નવી ગતિ
Raj Thackeray: પુસ્તકના પાનાઓમાં છુપાયેલો હતો ૧૯૮૯નો ઈતિહાસ! રાજ ઠાકરેએ શેર કરી ‘સુખ પાહતા’ નાટક સાથે જોડાયેલી ખાસ યાદ; સોશિયલ મીડિયા પર ફેન્સ થયા ભાવુક.
Exit mobile version