Site icon News Continuous Bureau | Mumbai

ઘરવાપસીઃ આ રાજ્યમાં 1200 લોકોએ હિંદુ ધર્મ અપનાવ્યો, દિવંગત ભાજપા નેતાના દીકરાએ યોજ્યો કાર્યક્રમ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 નવેમ્બર  2021 

Join Our WhatsApp Channel

સોમવાર  

છત્તીસગઢના જશપુરમાં ભાજપના દિવંગત નેતા દિલીપ સિંહ જુદેવ બાદ પુત્ર પ્રબલ પ્રતાપ સિંહે ઘરવાપસી અભિયાન ની જવાબદારી લીધી છે. 

ધર્માંતરિત હિંદુઓની વાપસી માટે પ્રબલના નેતૃત્વમાં ગઈકાલે એક મોટો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 300 પરિવારના 1200 થી વધુ લોકોએ ઘરવાપસી કરી છે 

હિંદુ રીત-રિવાજ પ્રમાણે સૌના પગ ધોઈને તેમની ઘરવાપસી કરાવવામાં આવી હતી. 

જિલ્લાના પત્થલગાંવ સ્થિત ખૂંટાપાની ગામમાં ઓપરેશન ઘરવાપસીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ઘરવાપસી કાર્યક્રમનું નેતૃત્વ કરનારા પ્રબલ પ્રતાપે મીડિયાને જણાવ્યું કે, આ તમામ લોકોને 3 પેઢી પહેલા ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા. 2 દિવસીય કાર્યક્રમમાં હજાર કરતા પણ વધારે લોકો એકત્રિત થયા હતા. 

ઉલ્લેખનીય છે કે આર્ય સમાજ અને હિંદુ સમાજ દ્વારા આ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. .

પુલવામા આતંકી હુમલા માં એમેઝોન નું નામ સંડોવાયું. વેપારી સંગઠન કેટ એ કર્યો આ દાવો. શું એમેઝોન છે વિલન? જાણો વિગતે.
 

Palghar Sand Mafia। દાતીવરે ખાડીમાં ગેરકાયદે રેતી માફિયાઓ પર તવાઈ રેતી ભરેલી બોટ સળગાવી દેવાઈ
Yavatmal Crime News। યવતમાળમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને કરંટ આપી જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો
Somnath Temple 75th Anniversary। સોમનાથમાં શૌર્યના દર્શન મંદિરની 75મી વર્ષગાંઠ પર વાયુસેનાનો ‘સૂર્ય કિરણ એર શો’, આકાશમાં રચશે અદભૂત ફોર્મેશન
Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Exit mobile version