Site icon News Continuous Bureau | Mumbai

Chhattisgarh Naxal IED Blast:બીજાપુરમાં નક્સલીઓનો હુમલો, સુરક્ષા દળોના વાહનને ઉડાવી દીધું; પડી ગયો 10 ફૂટથી વધુ ઊંડો ખાડો; જુઓ વિડીયો…

Chhattisgarh Naxal IED Blast:બીજાપુરમાં નક્સલવાદીઓએ IED વિસ્ફોટ કરીને સુરક્ષા દળોના વાહનને ઉડાવી દીધું હતું. જેમાં દંતેવાડાના 8 ડીઆરજી જવાન અને એક ડ્રાઈવર શહીદ થયા હતા. તેઓ દંતેવાડા, નારાયણપુર અને બીજાપુરના સંયુક્ત ઓપરેશનથી પરત ફરી રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે સ્થળ પર એક મોટો ખાડો બની ગયો છે, જે 10 ફૂટથી વધુ ઊંડો છે. હુમલામાં કારને સંપૂર્ણ નુકસાન થયું હતું. વાહનનો એક ભાગ નજીકના ઝાડ પર લટકતો જોવા મળ્યો હતો.

Chhattisgarh Naxal IED Blast9 killed as Naxals blast security personnel's vehicle in Chhattisgarh

Chhattisgarh Naxal IED Blast9 killed as Naxals blast security personnel's vehicle in Chhattisgarh

News Continuous Bureau | Mumbai

Chhattisgarh Naxal IED Blast:આજ છત્તીસગઢના બીજાપુરમાં નક્સલવાદીઓએ દંતેવાડાના DRG સૈનિકોના વાહન પર હુમલો કર્યો. હુમલો એટલો ભયંકર હતો કે વાહનમાં સવાર 8 જવાનો શહીદ થયા હતા અને એક ડ્રાઈવરનું પણ મોત થયું હતું. આ ભયાનક હુમલાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેને જોઈને કોઈની પણ રૂહ કાંપી ઉઠે. વીડિયોમાં જોઈ શકાય છે કે નક્સલવાદીઓએ જે વાહન પર હુમલો કર્યો હતો તેના ટુકડા કરી નાખ્યા હતા.

Join Our WhatsApp Channel

Chhattisgarh Naxal IED Blast: જુઓ વિડીયો 

 

નક્સલવાદીઓના આઈઈડી હુમલાને કારણે કાર ઉડી ગઈ હતી અને તેના ભાગો અલગ થઈને ઉડી ગયા હતા અને 25 ફૂટની ઊંચાઈએ નજીકના ઝાડની ડાળી માં ફસાઈ ગયા હતા. કેટલાક ભાગો 30 ફૂટ દૂર પડ્યા હતા. વૃક્ષો પરથી વાહનના વિવિધ ભાગો હટાવવા માટે જેસીબી મંગાવવા પડ્યા હતા. ભયાનક વિસ્ફોટને કારણે જમીન પર 10 ફૂટ ઊંડો ખાડો પડી ગયો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે વાહનમાં મુસાફરી કરી રહેલા સૈનિકો ઘાયલ થયા હતા. આ પછી ઘણા સુરક્ષા દળોના જવાનો અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા અને પરિસ્થિતિનો તાગ મેળવતા જોવા મળ્યા.

આ સમાચાર પણ વાંચો : Bijapur Blast: બીજાપુરમાં નક્સલીઓએ સુરક્ષા દળોના વાહનમાં બ્લાસ્ટ કર્યો, આટલા જવાનો થયા શહીદ…

Chhattisgarh Naxal IED Blast: IED હુમલા બાદ NIAની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

બીજાપુરમાં નક્સલી હુમલા બાદ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે. NIAની ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ નક્સલવાદી હુમલા અંગે, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે X પર પોસ્ટ કર્યું છે કે તેઓ બીજાપુર (છત્તીસગઢ)માં IED વિસ્ફોટમાં DRG સૈનિકોના નુકસાનના સમાચારથી ખૂબ જ દુઃખી છે. હું બહાદુર સૈનિકોના પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. આ દુ:ખ શબ્દોમાં વ્યક્ત કરવું અશક્ય છે, પરંતુ હું ખાતરી આપું છું કે આપણા જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. અમે માર્ચ 2026 સુધીમાં ભારતીય ધરતી પરથી નક્સલવાદને ખતમ કરીશું.

ડીઆરજી જવાન બીજાપુરથી સંયુક્ત ઓપરેશન પૂર્ણ કરીને પરત ફરી રહ્યા હતા. બીજાપુર હેડક્વાર્ટરથી લગભગ 40 કિમી દૂર અંબેલી ગામ નજીક બપોરે લગભગ 2 વાગ્યે નક્સલવાદીઓએ IED હુમલો કર્યો.

 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kiren Rijiju calls Rahul Gandhi સંસદમાં હંગામા વચ્ચે કિરેન રિજિજુએ રાહુલ ગાંધીને કર્યો ફોન, આ સંવેદનશીલ અને મહત્ત્વના વિષયો પર થઇ ચર્ચા
Elon Musk net worth drop દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કની સંપત્તિમાં મોટો ઘટાડો, 24 કલાકમાં ગુમાવ્યા 7.8 લાખ કરોડ રૂપિયા
Maharashtra doctors strike ડોક્ટરોની હડતાળ પર હાઈકોર્ટનો સપાટો! તરત કામ પર નહીં ફરો તો… જાણો શું કહ્યું કોર્ટે
Shiv Sena Symbol Verdict શું વિધાનમંડળમાં પડેલી ફૂટને રાજકીય પક્ષની ફૂટ ગણાવી શકાય? સુપ્રીમ કોર્ટમાં કપિલ સિબ્બલનો મોટો સવાલ
Exit mobile version