Site icon News Continuous Bureau | Mumbai

Assam CM On Muslim Votes: CM હિંમત બિસ્વાનું મોટુ નિવેદન..આગામી 10 વર્ષ સુધી મિયા વોટની જરૂર નથી, જાણો CM હિમંતા બિસ્વા સરમાએ આવું શું કામ કહ્યું ?

Assam CM On Muslim Votes: જ્યારે ચૂંટણી આવશે ત્યારે હું તેમને વ્યક્તિગત રીતે કહીશ કે અમને મત ન આપો. જ્યારે તમે કુટુંબ નિયોજનને અનુસરો, બાળ લગ્ન બંધ કરો અને કટ્ટરવાદ છોડી દો, તો અમને મત આપો. તેને પૂર્ણ કરવામાં 10 વર્ષ લાગશે, આવી સ્થિતિમાં અમે હવે નહીં પરંતુ 10 વર્ષ પછી વોટ માંગીશું.

CM Himanta Biswa's big statement..Miya vote is not needed for next 10 years

CM Himanta Biswa's big statement..Miya vote is not needed for next 10 years

News Continuous Bureau | Mumbai 

Assam CM On Muslim Votes: આસામ (Assam) ના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા (Himanta Biswa Sarma) એ રવિવારે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ બાળ લગ્ન (Child Marriage) જેવી પ્રથાઓને છોડીને પોતાને સુધારે નહીં ત્યાં સુધી બીજેપી (BJP) ને ‘ચાર’ (નદી રેતીબાર) વિસ્તારના ‘મિયા’ લોકોના મતની જરૂર નથી.

Join Our WhatsApp Channel

સરમાએ જો કે કહ્યું હતું કે ‘મિયા’ લોકો તેમને, પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને બીજેપીને સમર્થન આપે છે અને તેઓ તેમને મત આપ્યા વિના ભગવા બ્રિગેડની તરફેણમાં સૂત્રોચ્ચાર કરવાનું ચાલુ રાખી શકે છે. “ભાજપ જન કલ્યાણ કરશે અને તેઓ અમને સમર્થન આપશે પરંતુ તેમને અમને મત આપવાની જરૂર નથી. અમારું સમર્થન કરવામાં કોઈ નુકસાન નથી. તેમને હિમંતા બિસ્વા સરમા, નરેન્દ્ર મોદી અને ભાજપ માટે ‘ઝિંદાબાદ’ના નારા લગાવવા દો .”

‘મિયા’ શબ્દ બંગાળી-ભાષી મુસ્લિમો (Muslim) નો સંદર્ભ આપવા માટે વપરાતો શબ્દ છે. એક પ્રશ્નના જવાબમાં આસામના મુખ્યમંત્રીએ કહ્યું, “જ્યારે ચૂંટણી આવશે ત્યારે હું તેમને વ્યક્તિગત રીતે કહીશ કે અમને મત ન આપો. જ્યારે તમે કુટુંબ નિયોજનને અનુસરો, બાળ લગ્ન બંધ કરો અને કટ્ટરવાદ છોડી દો, તો અમને મત આપો. તેને પૂર્ણ કરવામાં 10 વર્ષ લાગશે, આવી સ્થિતિમાં અમે હવે નહીં પરંતુ 10 વર્ષ પછી વોટ માંગીશું.

આ સમાચાર પણ વાંચો : Operation Kachhapa: DRIએ ‘ઓપરેશન કચ્છપ’ હેઠળ ગંગામાંથી 955 પ્રજાતિના કાચબાને બચાવ્યા, આટલા લોકોની કરી ધરપકડ..

લઘુમતી વિસ્તારોમાં સાત કોલેજો ખોલીશું…

“આને પૂર્ણ કરવા માટે, 10 વર્ષ લાગશે. અમે 10 વર્ષ પછી મત માંગીશું, હમણાં નહીં.” તેમણે કહ્યું કે જેઓ તેમની તરફેણમાં અને ભાજપની તરફેણમાં મતદાન કરે છે તેઓને બે કે ત્રણથી વધુ બાળકો ન હોવા જોઈએ, તેમની પુત્રીઓને શાળામાં મોકલવી જોઈએ, બાળ લગ્ન ન કરી શકે અને કટ્ટરવાદ છોડીને સૂફીવાદ અપનાવવો જોઈએ. સરમાએ પત્રકારોને કહ્યું, “જ્યારે આ શરતો પૂરી થશે, ત્યારે હું તમારી સાથે ‘ચાર’ પર મત માંગવા જઈશ.”

જ્યારે સીએમ શર્માને કહેવામાં આવ્યું કે ચાર બંગાળી ભાષી મુસ્લિમ વિસ્તારોમાં શાળાની યોગ્ય વ્યવસ્થા નથી, તો તેમણે કહ્યું, “જો તેમને આવા વિસ્તારોમાં શાળાઓની ગેરહાજરી વિશે જાણ કરવામાં આવશે, તો તરત જ શાળાઓની સ્થાપના કરવામાં આવશે.” તેમણે વધુમાં કહ્યું, “એવું ન હોઈ શકે કે લઘુમતી વિદ્યાર્થીઓને ભણવાની તક ન મળે. અમે આગામી દિવસોમાં લઘુમતી વિસ્તારોમાં સાત કોલેજો ખોલીશું.

Maharashtra doctors strike ડોક્ટરોની હડતાળ પર હાઈકોર્ટનો સપાટો! તરત કામ પર નહીં ફરો તો… જાણો શું કહ્યું કોર્ટે
Atiq Ahmed Son Accident અતીક અહેમદના પુત્રનું રોડ એક્સિડેન્ટમાં નિધન, કાર અકસ્માતમાં અબાન અહેમદ અને મિત્રનો ગયો જીવ
Daughters Skip Fathers Funeral સંબંધોની વરવી વાસ્તવિકતા… પિતાની અસ્થી લેવા પણ ન આવી દીકરીઓ, ૫૧૦૦ રૂપિયા ઓનલાઈન મોકલીને કહ્યું ‘બરાબર અંતિમ સંસ્કાર કરી દેજો’
IndiaMyanmar Land Swap શું ભારત મ્યાનમાર સાથે જમીનની અદલાબદલી કરશે? અહેવાલો વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની આવી સ્પષ્ટતા.
Exit mobile version