Site icon News Continuous Bureau | Mumbai

કૉંગ્રેસથી ભાજપમાં આવેલા નેતાનું વિવાદિત બયાન, કહ્યું- ‘રાત્રે હવે હું શાંતિથી સૂઈ શકું છું અને કોઈ એજન્સીસની નોટીસ નથી; જાણો કોણે કહ્યું

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 14 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

ગુરુવાર

વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં અન્ય પક્ષના નેતાઓના સામેલ થવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જેમાં કૉન્ગ્રેસના નેતા હર્ષવર્ધન પાટીલનો નંબર લાગ્યો છે. તેમને ભાજપમાં જોડાવાનું કારણ પૂછવામાં આવ્યું હતું. પાટીલે રમૂજમાં જવાબ આપતાં કહ્યું કે ભાજપમાં આવ્યા બાદ કોઈ તપાસ થતી નથી. શાંતિથી ઊંઘી શકાય છે.

હર્ષવર્ધન પાટીલ કૉન્ગ્રેસની સરકારમાં રાજ્યમાં સહકાર મંત્રી હતા. રાજ્યમાં ભાજપની સત્તા આવશે અને પોતે ફરીથી મંત્રી થશે એવી આશા તેમના મનમાં હોવાથી તેમણે ભાજપમાં આવવાનો નિર્ણય લીધો હતો. વિધાનસભાની ચૂંટણી બાદ મહાવિકાસ આઘાડી સરકાર આવવાથી પાટીલનું સપનું તૂટી ગયું હતું. 

પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહની તબીયત લથડી, દિલ્હી AIIMSમાં દાખલ; જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય 

બુધવારે એક કાર્યક્રમમાં હર્ષવર્ધન પાટીલને ભાજપમાં શા માટે ગયા? એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં તેમણે કહ્યું કે વધુ કંઈ નહીં ભાજપમાં ગયા બાદ શાંતિથી સૂઈ શકાય છે. કોઈ તપાસ નહીં, કંઈ નહીં. મજા આવે. પાટીલે આવું કહ્યું હતું એ વખતે મંચ પર ભાજપના પદાધિકારીઓ પણ બેઠા હતા.

Khan Sir Bail પટના કોચિંગ વિવાદમાં ખાન સરને મોટી રાહત, ધરપકડ પર રોક યથાવત
Ujjain Badnagar Moharram Incident ઉજ્જૈન બડનગરમાં મોહરમ દરમિયાન જોખમી પ્રદર્શન, ચાર લોકો સામે FIR
Ketan Agarwal Murder Case કેતન અગ્રવાલ હત્યાકાંડમાં નવો વળાંક, સીસીટીવી (CCTV) ફૂટેજમાં કેફેમાં રચાયેલી સાજીશનો ખુલાસો
Goa Beach Tragedy ગોવાના બાગા બીચ પર હૃદયદ્રાવક ઘટના, સેલ્ફી લેવા ગયેલા યુવાનને સમુદ્રના મોજાં તાણી ગયા
Exit mobile version