Site icon News Continuous Bureau | Mumbai

Congress Mumtaz Patel: અહેમદ પટેલની પુત્રી મુમતાઝનો દાવો – હું મુસ્લિમ છું, તેથી મને ભાડા પર મકાન નથી મળી રહ્યું…

Congress Mumtaz Patel: મુમતાઝે એક નિવેદન આપતા કહ્યું હતું કે દેશમાં મુસ્લિમોની સ્થિતિ સારી નથી. હું એક મુસ્લિમ પરિવારમાંથી આવું છું. તો મને કોઈ ભાડા પર મકાન પણ નથી આપતું.

Congress Mumtaz Patel Ahmed Patel's daughter Mumtaz's claim - I am a Muslim, so I am not getting a house on rent..

Congress Mumtaz Patel Ahmed Patel's daughter Mumtaz's claim - I am a Muslim, so I am not getting a house on rent..

News Continuous Bureau | Mumbai 

Congress Mumtaz Patel: ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીમાં ગઠબંધનમાં જોડાતા ચર્ચામાં આવેલા કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે મોટો ખુલાસો કર્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની ( Ahmed Patel ) પુત્રી અને ગઠબંધન પહેલા ભરૂચ બેઠક પર ટિકિટના ઉમેદવાર મુમતાઝ કહે છે કે, તે મુસ્લિમ ( Muslim ) હોવાને કારણે, તેને દિલ્હીમાં ( Delhi ) ભાડા પર મકાન નથી મળી રહ્યું. 

Join Our WhatsApp Channel

મુમતાઝ પટેલે ( Mumtaz Patel ) તાજેતરમાં એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં આ વાત કહી હતી. જ્યારે એન્કરે તેને પૂછ્યું કે શું ભારતમાં મુસ્લિમો સુરક્ષિત છે, તો મુમતાઝે કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે. હું આ વાતો એક મુસ્લિમ તરીકે કહું છું. આજે પણ જો મારે દિલ્હીમાં મકાન ભાડે ( Rental House ) લેવું હોય. તો ત્યાંના લોકો મને ભાડે મકાન નહીં આપે. હું કેટલા સમયથી ઘર શોધી રહી છું, પરંતુ મને ભાડેથી ઘર નથી મળી રહ્યું.

 હું રાજકીય પૃષ્ઠભૂમિમાંથી આવું છું અને બીજું, એક મુસ્લિમ પરિવાર, તેથી લોકો મને ઘર આપવા માંગતા નથી…

મુમતાઝ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલા મારી માતાએ પણ ભાડેથી ઘર મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મારી માતાને પણ કોઈ મકાન ભાડેથી મળી શક્યું ન હતું. તેનું મુખ્ય કારણ એ છે કે, પ્રથમ, હું રાજકીય ( Politics ) પૃષ્ઠભૂમિમાંથી આવું છું અને બીજું, હું એક મુસ્લિમ પરિવારથી છું. તેથી લોકો મને ભાડા પર ઘર આપવા માંગતા નથી. જો અહેમદ પટેલના પરિવાર સાથે આવું થતું હોય, તો સામાન્ય માણસ સાથે શું થતું હશે, તેની કલ્પના કરો. મુસ્લિમો પર હાલ ઘણું દબાણ છે. ગુજરાતમાં પણ સ્થિતિ સારી નથી. જ્યારે ત્યાં વિવાદ થાય છે, ત્યારે મુસ્લિમોની જાન પણ જાય છે. કોંગ્રેસની રેલીમાં અમારી સાથે કોઈ મુસ્લિમ જોવા મળે, તો તેને પણ હેરાન કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો :  Vedic Clock: દેશમાં સ્થાપિત કરવામાં આવી વિશ્વની પ્રથમ વૈદિક ઘડિયાળ, 24 નહીં 30 કલાકનો દિવસ! જાણો શું છે તેની વિશેષતા..

દરમિયાન, મુમતાઝ પટેલે રામ મંદિર પર પણ વાત કરી હતી . તેમણે કહ્યું કે આ એક ભાવનાત્મક મુદ્દો છે. આનું ક્યારેય રાજકારણ ન કરવું જોઈએ. કલમ 370 પર તેમણે કહ્યું કે, અત્યારે તેના પર બોલવું યોગ્ય નથી. આપણે રાહ જોવી પડશે અને જોવું પડશે કે તેનો અમલ કરવાથી કેટલો ફાયદો થાય છે. તે પછી જ કહી શકાય કે તેને દૂર કરવું યોગ્ય હતું કે ખોટું.

 

Ketan Agarwal Murder Case Siya Goyal દીકરી સામે પિતાનો જ ન્યાય! કેતનના કથિત મર્ડર કેસ પર સિયા ગોયલના પિતાનું મોટું નિવેદન આવ્યું સામે
Maharashtra Rain Alert 24 Districts મેઘરાજાની તોફાની બેટિંગ! મહારાષ્ટ્રના ૨૪ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, જળબંબોળ સ્થિતિ વચ્ચે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ
Khan Sir Bail પટના કોચિંગ વિવાદમાં ખાન સરને મોટી રાહત, ધરપકડ પર રોક યથાવત
Ujjain Badnagar Moharram Incident ઉજ્જૈન બડનગરમાં મોહરમ દરમિયાન જોખમી પ્રદર્શન, ચાર લોકો સામે FIR
Exit mobile version