Site icon News Continuous Bureau | Mumbai

ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં કોંગ્રેસ પાર્ટીનો દીપક બુઝાયો- હવે એકેય સભ્ય નહીં- આ રીતે થયું પતન

News Continuous Bureau | Mumbai 

એવું કહેવાય છે કે ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)ની રાજનીતિથી દિલ્હી(Delhi)ની સત્તા કબજામાં આવે છે. આથી જ એવું કહેવાય છે કે ઉત્તર પ્રદેશ જેની મુઠ્ઠીમાં હોય તે ભારતની ભૂમિ પર રાજ કરે છે. અનેક વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટીએ ઉત્તરપ્રદેશમાં પોતાની સત્તા જાળવી હતી પરંતુ હવે તેના મૂળ ઉખડી ગયા છે અને છેલ્લો દીપક પણ બુઝાઈ ગયો છે.

Join Our WhatsApp Channel

ઉત્તર પ્રદેશ વિધાન પરિષદ(Uttar Pradesh Assembly)માં કોંગ્રેસ(Congress) પાર્ટી નો એકમાત્ર ધારાસભ્ય(MLA) હતો જેનું નામ દીપક સિંહ હતું. ગુરુવારના દિવસે ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં તેમના કાર્યકાળ નો અંતિમ દિવસ હતો. આ સાથે જ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી નો વિધાન પરિષદમાં સફાયો થઈ ગયો છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ થી પણ ઓછા ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા હોવાને કારણે હવે ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં કોંગ્રેસ પાર્ટી નો કોઈપણ નવો સભ્ય નહીં ચૂંટાય.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરે સામે સૌથી મોટો પડકાર- નારાજ સાંસદ સભ્યો નું કહ્યું માનશે કે પછી શરદ પવારનું-  રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે કોને સમર્થન આપશે

વર્ષ ૧૯૮૯ થી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની પડતી શરૂ થઈ ગઈ. એક સમયે વિધાન પરિષદમાં અડધાથી વધુ ધારાસભ્યો કોંગ્રેસ પાર્ટીના હતા. સૌથી પહેલા માયાવતી(Mayawati) અને ત્યારબાદ મુલાયમસિંહ યાદવે(Mulayam Singh Yadav) કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યોની સંખ્યા ઘટાડવા માંડી. ત્યારબાદ વર્ષ 2017 માં કોંગ્રેસ પાર્ટીના માત્ર બે ધારાસભ્યો વિધાન પરિષદમાં હતા. આ બંને ધારાસભ્યો હવે રિટાયર થઈ ગયા છે. આ સાથે જ કોંગ્રેસ પાર્ટી નું ઉત્તર પ્રદેશની વિધાન પરિષદમાં પ્રતિનિધિત્વ સમાપ્ત થઈ ગયું.

Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Marathon Barefoot In Saree “દીકરીનું ભણતર જ મારી જીત છે…” ખુલ્લા પગે અને સાડીમાં મેરેથોન જીતનારી મુંબઈની માતાની પ્રેરણાદાયી કહાની
Eknath Shinde Delhi Visit સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં રાજકારણમાં ગરમાવો એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના, કાનૂની વ્યૂહરચના પર નજર!
Exit mobile version