Site icon News Continuous Bureau | Mumbai

પાંચ રાજયોની ચૂંટણીમાં હારવાને ડરે કૃષિ કાયદો પાછો ખેંચવાની મોદીએ કરી જાહેરાત, કોંગ્રેસનો દાવો જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 19 નવેમ્બર  2021 
શુક્રવાર.  

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદાસ્પદ કૃષિ કાયદો પાછો ખેંચવાની જાહેરાત કરી છે. પીએમ મોદીના આ નિર્ણયને કોગ્રેસે ખેડૂતોની અને પોતાની જીત ગણાવી હતી. 

Join Our WhatsApp Channel

કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદ લઈને કહ્યું હતું કે છેલ્લા એક વર્ષથી ખેડૂતોનો ચાલી રહેલા સંઘર્ષ કામ આવ્યો છે. હવે ભાજપની હારમાં જ દેશની જીત છે.

રણદીપ સુરજેવાલાએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે ખેડૂતોએ આ ત્રણ કૃષિ કાયદા રદ કરવા સતત વિનંતી કરી રહ્યા હતા. પરંતુ મોદી સરકાર પાસેથી તેમને ફક્ત યાતનાઓ મળી હતી. તેમણે ખેડૂતો પર લાઠીચાર્જ કરાવ્યો હતો. ખેડૂતોના માથા ફોડવાનો આદેશ આપ્યો હતો. આંદોલન કરનારા ખેડૂતોને આતંકવાદી અને નક્સલવાદી કહેવામાં આવ્યા હતા.
તમારી નિયત પર કેવી રીતે ભરોસો કરીએ? કોંગ્રેસના આ નેતાએ વડાપ્રધાન મોદીને કર્યો આ સવાલ

આંદોલન દરમિયાન લગભગ 600થી 700 ખેડૂતો શહીદ થયા હોવાનું બોલતા સુરજેવાલા કહ્યું હતું કે ઉત્તર પ્રદેશના લખીમપુરમાં મંત્રીના દીકરાએ ખેડૂતોને કચડી નાખ્યા હતા. મોદીએ આજે પોતાનો અપરાધ સ્વીકારી લીધો છે. હવે મોદી સરકારની સજા નક્કી કરવાનો સમય આવી ગયો છે. ભાજપને ઉત્તર પ્રદેશ, પંજાબ સહિત આગામી વર્ષમાં પાંચ રાજયોમાં થનારી ચૂંટણીમાં હારવાનો ડર સતાવી રહ્યો છે. 

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version