Site icon News Continuous Bureau | Mumbai

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં નમાજના વિડિયોએ વિવાદ છેડ્યો,વિશ્વ હિન્દુ પરિષદએ કરી આ માંગ

અહીં આવેલ સંસ્કૃત મહાવિદ્યાલય ની બહાર જાહેરમાં બે લોકો નમાજ પઢી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.

controversy over offering namaz outside the sanskrit faculty in ms university

વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં નમાજના વિડિયોએ વિવિદ છેડ્યો,વિશ્વ હિન્દુ પરિષદએ કરી આ માંગ

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં સંસ્કારી નગરી તરીકે ઓળખાતા શહેર વડોદરામાં ફરી એકવાર ધાર્મિક વિવાદ છેડાયો છે.આ વખતે અહીંના એમ.એસ યુનિવર્સિટી વિવાદનું કારણ બની છે.અહીં આવેલ સંસ્કૃત મહાવિદ્યાલય ની બહાર જાહેરમાં બે લોકો નમાજ પઢી રહ્યા હોય તેવો વિડીયો વાયરલ થતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. 

Join Our WhatsApp Channel

કોણ દેખાઈ રહ્યું છે વિડીયોમાં,શું છે વિવાદ 

આ વિડીયોમાં કોઈ અજાણ્યો પુરુષ અને મહિલા નમાઝ પેઢી રહ્યા હતા અને જે બાબતે વિડીયો વાયરલ થયો હતો.આ બનાવ સામે આવતા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા તપાસની માગણી કરવામાં આવી હતી અને આ મામલે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. 

વીડિયોને લઈને અનેક ચર્ચાઓ 

આ વીડિયોને લઈને સમગ્ર શહેરમાં પણ ભારે ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે.આ વીડિયોને લઈને અનેક લોકો વિરોધ નોંધાવી રહ્યા છે.આ વીડિયોને લઈને કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયોમાં દેખાઈ રહેલા બંને લોકો વિદ્યાર્થી ન હોય તેવું પણ કહેવામાં આવી રહ્યું છે.જોકે આ વ્યક્તિઓ કોણ છે તેને લઈને હજુ સુધી કોઈ પુષ્ટિ થઇ નથી. 

આ સમાચાર પણ વાંચો: કોરોના દર્દીઓની જીનોમ સિક્વન્સિંગ હવે ફરજિયાત . . . .

આ થઇ રહ્યા છે આક્ષેપ 

આ બાબતને લઈને આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે નમાજ પઢવામાં આવી રહી છે તે સંસ્કૃત મહાવિદ્યાલયની સામે જ કેમ આવું કરવામાં આવી રહ્યું છે.શિક્ષણના ધામમાં આ કૃત્ય જાહેરમાં કરી ન શકાય તેવો આક્ષેપ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા કરવામાં આવી રહ્યો છે.  

વિશ્વ હિન્દૂ પરિષદ કરી તપાસની  માંગ 

આ અંગે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા માંગણી કરવામાં આવી રહી છે કે જાહેર રોડ,બગીચા અને રેલવે સ્ટેશને નમાજ પઢવામાં આવતી હતી પરંતુ હવે શિક્ષણના ધામની બહાર આવા તત્વો દ્વારા કરવામાં આવે તે વ્યાજબી નથી.આ અંગે તપાસ કરાવવામાં આવે તેવી અમારી માંગણી છે ને યુનિવર્સીટીની બહારના તત્વો દ્વારા નમાઝ પઢનાર કોણ છે તેમણે કેમ કર્યું તે અંગે પણ તપાસ કરવામાં આવે તેવી અમે માંગણી કરી રહ્યા છીએ. 

આ સમાચાર પણ વાંચો:  તુનીષા આત્મહત્યા કેસમાં લવ જેહાદની એન્ટ્રી! આ બીજેપી નેતાએ કહ્યું- જો આમાં આવું કંઈ જોવા મળે તો…

Maharashtra Weather Update મહારાષ્ટ્રમાં આગામી ૪૮ કલાક ભારે! હવામાન વિભાગ દ્વારા હાઇ એલર્ટ જાહેર, અનેક જિલ્લાઓમાં મુસળધાર વરસાદની આગાહી
Nashik Double Murder Suicide Attempt કૌટુંબિક વિવાદમાં પતિ બની ગયો રાક્ષસ, નાસિકમાં માદીકરાની હત્યા બાદ પતિનો આત્મહત્યાનો પ્રયાસ..
Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Exit mobile version