Site icon

સાંગલી માં મુખ્યમંત્રી ની સામે શિવસેના અને ભાજપ ના કાર્યકર્તા વચ્ચે હંગામો. મુખ્યમંત્રી પરત આવ્યા. જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

ગત એક સપ્તાહથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે પુરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે. આ કાર્યક્રમ પ્રમાણે સોમવારના દિવસે મુખ્યમંત્રી સાંગલી પહોંચ્યા હતા. અહીં શિવસેના અને ભાજપ ના કાર્યકર્તા સામસામે આવી ગયા જે ને કારણે તણાવનું વાતાવરણ નિર્માણ થયું અને મુખ્યમંત્રીએ પોતાનો કાર્યક્રમ આટોપી લીધો.

મહારાષ્ટ્રમાં કોરોનાનું સંકટ યથાવત, રાજ્યમાં ફરી સક્રિય કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં આવ્યા આટલા નવા કેસ

વાત એમ છે કે મુખ્યમંત્રી હરભટ બજાર ખાતે વેપારીઓની વાત સાંભળી રહ્યા હતા. બરાબર આ સમયે ભાજપના કાર્યકર્તાઓ પહોંચ્યા અને તેમણે વેપારીઓની બાજુ ઉગ્ર રીતે રજૂ કરી. દરમિયાન અમુક કાર્યકર્તા ઓ એ નારેબાજી શરૂ કરી અને અમુક જમીન ઉપર બેસી ગયા. બરાબર આ સમયે શિવસૈનિકો પણ જુસ્સામાં આવી ગયા. પરિસ્થિતિ તંગ બની એટલે મુખ્યમંત્રીએ સીધો યુ ટર્ન લીધો અને કાફલામાં બેસીને રવાના થઇ ગયા. આમ મુખ્યમંત્રી જે પણ પૂરગ્રસ્ત વિસ્તારમાં જઈ રહ્યા છે ત્યાં તેમને કડવા અનુભવ થઇ રહ્યા છે.

Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Maharashtra Govt Jobs: ૭૦,૦૦૦ સરકારી જગ્યાઓ માટે ભરતીનો માર્ગ સાફ, શિક્ષણથી લઈને પોલીસ વિભાગ સુધીની ખાલી બેઠકોનું લિસ્ટ જાહેર
Exit mobile version