ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
મહારાષ્ટ્ર સરકાર અત્યારે વિચાર કરી રહી છે કે મહારાષ્ટ્રમાં લોકડાઉન ક્યારે લગાડવું તેમજ કેવી રીતે લગાડવું. ત્યારે બીજી તરફ છત્તીસગઢની સરકારે આકરા પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. અહીંની સરકારે તેમના રાજ્યમાં રહેલા 28 જિલ્લામાંથી 18 જિલ્લામાં લોકડાઉન લાધ્યું છે.
વાત એમ છે કે છત્તીસગઢમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોના ફેલાવવાની શરૂઆત થઈ ત્યારથી સરકાર ચિંતિત હતી. આથી સરકારે ત્વરિત પગલાં ઊંચકીને લોકડાઉન લાગુ કરી દીધું છે જે પૂરી રીતે અમલમાં છે.
