Site icon News Continuous Bureau | Mumbai

પતંજલીની ‘કોરોનિલ’ની દૈનિક માંગ 10 લાખ પેકેટ… માંગને પહોંચી વળવા અસમર્થ હોવાનો બાબા રામ દેવનો ખુલાસો…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

06 ઓગસ્ટ 2020

યોગ ગુરુ રામદેવની કંપની પતંજલિ આયુર્વેદ એ જણાવ્યું છે કે તેમની રોગપ્રતિકારક દવા 'કોરોનિલ'ની દરરોજ આશરે 10 લાખ પેકની માંગ ઉભી થયી છે. પરંતુ હરિદ્વાર સ્થિત તેમની કંપની આટલી મોટી માંગને પહોંચી વળવા માટે સંઘર્ષ કરી રહી છે. કારણ કે તેમની ક્ષમતા દરરોજ ફક્ત એક લાખ પેક સપ્લાય કરી શકવાની જ છે. 

દરેક વ્યક્તિ ખરીદી શકે એ હેતુ થઈ પતંજલિ આયુર્વેદે કોરોનીલ ની કિંમત માત્ર 500 રૂપિયા રાખી હોવાનું જણાવી, રામદેવે કહ્યું કે, "જો અમારે નફો જ કરવો હોત તો કોવિડ -19 ની આ દવા, 5 હજાર રૂપિયાની ઊંચી કિંમતે વેચાણ માટે મૂકી હોત તો પણ સરળતાથી વેંચાઈ ગઈ હોત. આયુર્વેદ એન્ટરપ્રાઇઝ અંતર્ગત પ્રધાનમંત્રી મોદીના 'વોકલ ફોર લોકલ' પર એક ઉદ્યોગ સંસ્થા દ્વારા આયોજિત વર્ચુઅલ શ્રેણીમાં યોગગુરુ બાબા રામદેવ બોલ્યા હતા.

આ દવાને જોરશોરથી બજારમાં લોન્ચ કર્યા બાદ દવાના દાવાને લઈને ખૂબ મોટો વિવાદ ઉભો થયો હતો.. અગાઉ જૂનમાં, રામદેવે દાવો કર્યો હતો કે "કોરોનિલ કોવિડ -19 દર્દીઓનો ઇલાજ કરી શકે છે. જો કે, આયુષ મંત્રાલયે પતંજલિને ઠપકો આપી તેના વેચાણ પર તુરંત પ્રતિબંધ મૂક્યો હતો. બાદમાં, કેન્દ્રીય મંત્રાલયે મંજૂરી આપી કે પતંજલિ ફક્ત 'ઇમ્યુનિટી બૂસ્ટર' તરીકે જ કોરોનીલ વેચી શકે છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Supreme Court Hearing Shiv Sena Symbol શિવસેના નામ અને પ્રતીક વિવાદ સુપ્રીમ કોર્ટમાં કાનૂની જંગ અંતિમ તબક્કામાં, કોના ફાળે જશે અસલી શિવસેના?
Maharashtra SIR Update Election Commission મહારાષ્ટ્રમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ વેગવાન ડોર્ડટુડોર વેરિફિકેશનની સમયમર્યાદા લંબાઈ, જાણો નવી તારીખ
Maharashtra Bans Analogue Paneer નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચાલે! નકલી અને ‘એનાલોગ પનીર’ ના વેચાણ પર પ્રતિબંધ, જેલ અને દંડની જોગવાઈ
Maharashtra Politics મંત્રીમંડળમાં અસંતોષ? કામગીરી ન સુધરે તો લેવાશે કડક પગલાં, એકનાથ શિંદેની ખુલ્લી ચેતવણી
Exit mobile version