Site icon

રાજ્યસભા ચૂંટણી- મહારાષ્ટ્રના આ બે નેતાઓ નહીં કરી શકે મતદાન- મુંબઈ કોર્ટે આપ્યો ચુકાદો- જાણો શું છે સમગ્ર મામલો

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના મંત્રી(Maharashtra Minister) નવાબ મલિક(Nawab Malik) અને પૂર્વ મંત્રી અનિલ દેશમુખને(Anil Deshmukh) કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. 

મુંબઈની એક કોર્ટે 10 જૂને રાજ્યસભાની ચૂંટણીમાં(RajyaSabha elections) મતદાન(Voting) કરવા માટે એક દિવસ માટે જામીન માંગતી બંને નેતાઓની અરજીને ફગાવી દીધી છે.

સુનાવણી દરમિયાન, EDએ બંને વરિષ્ઠ નેતાની અરજીનો વિરોધ કરતા કહ્યું કે કેદીઓને લોકોના પ્રતિનિધિત્વ કાયદા(Representation laws) હેઠળ મતદાનનો અધિકાર નથી.

NCP બંને વરિષ્ઠ નેતા દેશમુખ અને મલિક હાલમાં મની લોન્ડરિંગના(money laundering) જુદા જુદા કેસમાં જેલમાં છે. 

ઉલ્લેખનીય છે કે બંનેએ ગયા અઠવાડિયે વિશેષ ન્યાયાધીશ આરએન રોકડે(Judge R. N rokade)સમક્ષ અસ્થાયી જામીન(Bail) માટે અરજી કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  MNS ચીફ રાજ ઠાકરેની મુશ્કેલી વધી-સાંગલીની આ કોર્ટ ફરી એક વખત જારી કર્યું બિનજામીનપાત્ર વોરંટ-જાણો શું સમગ્ર મામલો

Exit mobile version