Site icon

COVID-19 Cases: મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર.. એક જ દિવસમાં 129 કોરોનાના નવા કેસ નોંધાયા… એક્ટિવ કેસની સંખ્યા આટલાને પાર..

COVID-19 Cases: એક અહેવાલ મુજબ આ વર્ષમાં મહારાષ્ટ્રમાં કોવિડ સંક્રમણને કારણે 137 લોકોના મોત થયા છે. તેમાંથી 70.80 ટકા 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ છે. હાલ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ 98.18 ટકા છે અને મૃત્યુ દર 1.81 ટકા છે..

COVID-19 Cases Corona epidemic in Maharashtra.. So many new cases of Corona have been reported in a single day... The number of active cases has crossed this much.

COVID-19 Cases Corona epidemic in Maharashtra.. So many new cases of Corona have been reported in a single day... The number of active cases has crossed this much.

 News Continuous Bureau | Mumbai  

COVID-19 Cases: મહારાષ્ટ્રમાં શુક્રવારે એક દિવસમાં કોવિડ-19ના ( Covid-19 ) 129 નવા કેસ નોંધાયા હતા. જ્યારે તેમાં JN.1 વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની ( Covid Patients ) સંખ્યા 10 હતી. રાજ્યના આરોગ્ય વિભાગના ( Health Department ) જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 80,23,487 કોવિડ સંક્રમિત ( Covid Positive ) લોકોને સંપૂર્ણ સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે વધુમાં કહ્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓનો રિકવરી રેટ 98.18 ટકા છે અને મૃત્યુ દર 1.81 ટકા છે. એમ પ્રાપ્ત ડેટા મુજબ દર્શાવાયું છે.. 

Join Our WhatsApp Community

એક અહેવાલ મુજબ આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે આ વર્ષમાં (1 જાન્યુઆરી, 2023) મહારાષ્ટ્રમાં ( Maharashtra ) કોવિડ સંક્રમણને કારણે 137 લોકોના મોત થયા છે. તેમાંથી 70.80 ટકા 60 વર્ષથી ઉપરની વ્યક્તિઓ છે. જેમાંથી 84 ટકા મૃતકોમાં ( Covid Deaths ) અન્ય બીમારી હોવાનું જાણવા મળ્યું હતું, જ્યારે 16 ટકાને કોઈ અન્ય બીમારી ન હતી એમ પ્રાપ્ત માહિતીમાં જણાયું હતું..

કોરોનાનો નવો વેરિયન્ટ, JN.1, અત્યાર સુધીમાં નવ રાજ્યોમાં પહોંચી ગયો છે…

સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર નાગપુર ( Nagpur ) શહેરમાં શુક્રવારે એક જ દિવસમાં કોરોના વાયરસના 11 કેસ નોંધાયા હતા, જેનાથી સક્રિય કેસની કુલ સંખ્યા વધીને 22 થઈ ગઈ હતી. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને એક નિવેદનમાં જણાવ્યું હતું કે હાલમાં કોવિડથી સંક્રમિત દર્દીઓમાં માત્ર ચાર દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે અન્ય દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે. કોર્પોરેશનના એડિશનલ કમિશનરે કોરોના વાયરસ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી અને અધિકારીઓએ નવા JN.1 પેટા વેરિઅન્ટને ધ્યાનમાં રાખીને પરીક્ષણ વધારવાનો નિર્દેશ આપ્યો હતો, તેમ જ સાવચેતી તરીકે ઓક્સિજન બેડ અને આઇસોલેશન વોર્ડ પણ તૈયાર રાખવાની સૂચના પણ આપી હતી. એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  PM Narendra Modi: પ્રધાનમંત્રીએ ULFA સાથે સમાધાનના મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યાની પ્રશંસા કરી

સત્તાવાર સૂત્રોએ શુક્રવારે જણાવ્યું હતું કે 28 ડિસેમ્બર સુધી, ભારતમાં કોવિડ -19 ના JN.1 નવા વેરિયન્ટના કુલ 145 કેસ નોંધાયા છે. આ નમૂનાઓ 21 નવેમ્બરથી 18 ડિસેમ્બર 2023ની વચ્ચે લેવામાં આવ્યા હતા. જેએન.1 વેરિઅન્ટના સૌથી વધુ કેસ કેરળમાંથી નોંધાયા છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે કેરળમાં અત્યાર સુધીમાં JN.1 સબ-વેરિયન્ટના 41 કેસ નોંધાયા છે, જેમાંથી મોટાભાગના હોમ આઇસોલેશનમાં છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો કોવિડના JN.1 પેટા સ્વરૂપ વિશે સતર્ક છે. નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવી રહ્યો છે. તાજેતરના મળતા ડેટા અનુસાર, શુક્રવારે ભારતમાં 24 કલાકમાં કોવિડના 797 નવા કેસ નોંધાયા છે. હાલમાં સક્રિય કેસોની સંખ્યા 4,000 છે.

સુત્રો પ્રાપ્ત આંકડા અનુસાર ત્રણ અઠવાડિયામાં, કોરોનાનો નવા વેરિયન્ટ, JN.1, અત્યાર સુધીમાં નવ રાજ્યોમાં પહોંચી ગયો છે જેના કારણે સંક્રમિત લોકોની સંખ્યા પણ 17 થી વધીને 162 થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે 24 કલાકમાં 797 લોકો સંક્રમિત જોવા મળ્યા છે, જે 225 દિવસમાં સૌથી વધુ સંખ્યા છે. આ દરમિયાન 798 દર્દીઓ સ્વસ્થ પણ જાહેર થયા છે. શુક્રવારે, INSACOG એ પ્રથમ વખત સત્તાવાર રીતે JN.1 ના નવા વેરિયન્ટને વાયરસના વધારા માટે જવાબદાર ઠેરવ્યું હતું. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયને સુપરત કરાયેલા અહેવાલમાં, INSACOGએ જણાવ્યું હતું કે કેરળમાં 162માંથી JN.1ની પુષ્ટિ થઈ છે, દિલ્હીમાં એક દર્દી, ગોવામાં 18, ગુજરાતમાં 34, કર્ણાટકમાં આઠ, મહારાષ્ટ્રમાં સાત, રાજસ્થાનમાં પાંચ, તમિલનાડુમાં ચાર અને તેલંગાણામાં બે દર્દી છે. ગુજરાતમાં 34 માંથી 22 કેસ JN.1 થી સંક્રમિત જોવા મળ્યા છે. એમ પ્રાપ્ત ડેટા અનુસાર જાણવા મળ્યું છે..

આ સમાચાર પણ વાંચો :  Munnabhai 3: શું મુન્નાભાઈ નો ત્રીજો ભાગ લાવશે રાજકુમાર હીરાની? ડંકી નિર્દેશકે આ ઉપર આપ્યું અપડેટ

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version