Site icon News Continuous Bureau | Mumbai

Ram mandir: ગણતંત્ર દિવસ પર રામ મંદિરમાં ઉમટી ભીડ.. આટલા લાખથી વધુ ભક્તોએ રામલલાના કર્યા દર્શન..

Ram mandir: રામ મંદિરના ઉદ્દઘાટન બાદ બીજા જ દિવસે રામ મંદિરનો પ્રવેશ દ્વાર સામાન્ય લોકો માટે ખોલી દેવામાં આવ્યો છે. ત્યારથી ભક્તોની ભીડ દિન પ્રતિદિન વધતી જ જઈ રહી છે.

Crowds flocked to Ram Mandir on Republic Day.. More than one lakh devotees visited Ram lalla

Crowds flocked to Ram Mandir on Republic Day.. More than one lakh devotees visited Ram lalla

News Continuous Bureau | Mumbai 

Ram mandir: ગણતંત્ર દિવસ ( Republic Day ) પર શુક્રવારે 3.5 લાખથી વધુ ભક્તોએ ( Devotees  ) રામ મંદિરના દર્શન કર્યા હતા. 22 જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના એક દિવસ બાદ મંગળવારથી મંદિરને ભક્તોના દર્શન ( Darshan ) માટે ખોલવામાં આવ્યું હતું. પ્રથમ દિવસે લગભગ 5 લાખ ભક્તોએ મંદિરના દર્શન કર્યા હતા. અભિષેક સમારોહના ચોથા દિવસે, લોકો રામ લાલાના ‘દર્શન’ માટે કતારોમાં ધીરજપૂર્વક ઉભા રહ્યા હતા. 

Join Our WhatsApp Channel

રાજ્ય સરકાર ( State Government ) દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મુખ્ય સચિવ (ગૃહ) અને મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) એ શુક્રવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સૂચના પર અયોધ્યાની ( Ayodhya Ram mandir)  મુલાકાત લીધી હતી અને ત્યાંની વ્યવસ્થાનું મૂલ્યાંકન કર્યું હતું. તેમજ ભક્તોને દર્શન કરવામાં સરળતા રહે તે માટે જરુરી પગલાઓ પણ લેવામાં આવ્યા છે.

 મુખ્યમંત્રી ભક્તોના આવાસ અને સુરક્ષા જેવી પ્રાથમિક સુવિધાઓ પર સક્રિયપણે દેખરેખ રાખી રહ્યા છે…

નિવેદન અનુસાર, મંદિર જાહેર જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે ત્યારથી, મુખ્યમંત્રી ભક્તોના આવાસ, પરિવહન અને સુરક્ષા જેવી વ્યવસ્થાઓ પર સક્રિયપણે દેખરેખ રાખી રહ્યા છે અને એ સુનિશ્ચિત કરી રહ્યા છે કે ભક્તોને મુલાકાત વખતે કોઈ અસુવિધાનો સામનો કરવો ન પડે. શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા ‘આરતી’ અને ‘દર્શન’નો શેડ્યુલ પણ જાહેર કરવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  TCS Oxford Deal: ટાટા ગ્રૂપની IT કંપનીને લાગ્યો મોટો ફટકો… ટોચની આ બ્રિટિશ યુનિવર્સિટીએ ડીલ કરી રદ, હવે શેર પર થશે અસર..

વિશ્વ હિન્દુ પરિષદના ( Vishwa Hindu Parishad ) મીડિયા પ્રભારીના જણાવ્યા અનુસાર, સવારે 4.30 વાગ્યે ‘મંગલા આરતી’ થશે અને તે પછી ‘શ્રૃંગાર આરતી’ અથવા ‘ઉત્થાન’ થશે. સવારે 6 વાગે આરતી. સવારે 7 વાગ્યાથી ભક્તો દર્શન કરી શકશે. આ પછી બપોરે ‘ભોગ આરતી’, સાંજે 5.30 વાગ્યે ‘સંધ્યા આરતી’, ત્યારબાદ રાત્રે 9 વાગ્યે ‘ભોગ આરતી’ અને રાત્રે 10 વાગ્યે ‘શયન આરતી’નું આયોજન કરવામાં આવશે.

 Thane Telegram Scam – રોકાણના નામે ખેલ ખતમ! ટેલિગ્રામ પર વધુ નફાની લાલચમાં ફસાઈ યુવતી, ગુમાવ્યા લાખો રૂપિયા. 
Gen Z Outreach Team Gen Z સાથે જોડવા માટે BJPએ બનાવી ‘સૂપર ૫’ સ્પેશિયલ ટીમ, સ્મૃતિ ઈરાની ઉપરાંત કોણકોણ સામેલ? જાણો
Air Travel Update એર ટ્રેવલ થશે વધુ સરળ આ તારીખથી ભારતીય એરપોર્ટ પર બંધ થશે પાસપોર્ટ પર ફિઝિકલ સ્ટેમ્પ લગાવવાની પ્રથા.
Truck Driver Family Tragedy એક જીદ બની ગઈ મોતનું કારણ આઈફોનની લહાયમાં ટ્રક ડ્રાઇવરે ગુમાવ્યો પરિવાર, જાણો શું છે સમગ્ર ઘટના.
Exit mobile version