Site icon News Continuous Bureau | Mumbai

કુદરત રૂઠી- આસામમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 54 લોકોના મોત- તસવીરોમાં જુઓ આફતની ભયાનકતા

News Continuous Bureau| Mumbai.

આસામ(Assam)માં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ(heavy Rain) વરસી રહ્યો છે. જેને લીધે મોટાભાગના જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. અહીં પૂરના કારણે વધુ નવ લોકોના મોત થઈ ગયા છે જે બાદ કુલ મૃતકોની સંખ્યા 54 થઈ ગઈ છે. પૂર(flood)માં 28 જિલ્લા(district)ઓમાં 18.94 લાખ લોકો પૂરની સ્થિતિથી પ્રભાવિત(affected) થયા છે. 

Join Our WhatsApp Channel

મીડિયા રિપોર્ટ મુજબ હાલમાં, 1,08,104 પૂર પ્રભાવિત લોકો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થાપિત 373 રાહત શિબિરો(Relief camps)માં રહે છે. જેમાંથી એકલા બજલી જિલ્લામાં 3.55 લાખ, દારંગ જિલ્લા(Darang district)માં 2.90 લાખ, ગોલપારા(Golpara)માં 1.84 લાખ, બરપેટા(Barpeta)માં 1.69 લાખ, નલબારીમાં 1.23 લાખ, કામરૂપમાં 1.19 લાખ અને હોજાઈ જિલ્લામાં 1.05 લાખ લોકોને અસર થઈ છે. 

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી અવિરત વરસાદ(heavy rain)ને કારણે બેકી, માનસ, પાગલડિયા, પુથિમરી, જિયા ભરાલી, કોપિલી ખાતે બ્રહ્મપુત્રા નદી(river level)નુ જળસ્તર ખતરાના નિશાન(danger level)થી ઉપર વહી રહ્યું છે. તો વળી પૂરના પાણીથી પૂર પ્રભાવિત જિલ્લાઓમાં 43338.39 હેક્ટર પાકની જમીન ડૂબી ગઈ છે. 

દરમિયાન હવામાન વિભાગે(IMD) આગામી 24 કલાકમાં ભારે વરસાદ(Heavy rain)ની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે શનિવારના ઓરેન્જ એલર્ટ(orange alert) જાહેર કર્યું છે.  

Palghar Illegal Liquor Seized પાલઘરમાં ટેમ્પોમાંથી ₹૨૨.૯ લાખનો ગેરકાયદેસર વિદેશી દારૂ અને બિયરનો જથ્થો જપ્ત
MSRTC MumbaiPune Bus Trips મુંબઈપુણે મુસાફરોની મુશ્કેલીમાં MSRTC બન્યું સહારો 30 ટ્રેનો રદ થતાં દોડાવશે 200 વધારાની બસો!
Kharif Sowing Status ખેતીમાં રોનક! રાજ્યમાં 56% ખરીફ વાવણી સંપન્ન, સોયાબીન અને કપાસ બન્યા ખેડૂતોના ‘ગોલ્ડન ક્રોપ’.
Thane Building Collapse આઝાદ નગર વિસ્તારમાં ચાલનો ભાગ ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત, અનેક લોકો ઈજાગ્રસ્ત
Exit mobile version