Site icon

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કરી મોટી ઘોષણા; હવે કોરોનાથી મૃત્યુ થનાર વ્યક્તિના પરિવારને મળશે આ લાભ, જાણો વિગત…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૮ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

મંગળવાર

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કૉન્ફરન્સ કરી મહત્વની જાહેરાત કરી છે. એ પ્રમાણે હવે જો કોઈ વ્યક્તિનું કોરોનાને કારણે નિધન થશે તો તેના પરિવારને ૫૦,૦૦૦ હજાર રૂપિયા સહાયરૂપે આપવામાં આવશે. એ ઉપરાંત જો પરિવારની એકમાત્ર કમાનાર વ્યક્તિનું મૃત્ય થશે તો પરિવારને સહાય માટે દર મહિને ૨,૫૦૦ રૂપિયાની મદદ પણ કરવામાં આવશે.

કેજરીવાલે આ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે અમે કોઈ પ્રિયજનના જવાથી પરિવારને થયેલી ખોટ તો પૂરી નહિ કરી શકીએ, પરંતુ મદદ જરૂર કરી શકીએ છીએ.રાશનકાર્ડધારકો માટે ૧૦ કિલો ફ્રી રાશનની પણ જાહેરાત કરી હતી. જેમની પાસે રાશનકાર્ડ નથી તેમને પણ મફત રાશન આપવામાં આવશે. ઉપરાંત કોવિડને કારણે જો બાળકનાં માતાપિતામાંથી એક જ હયાત હોય અથવા બંનેનું કોવિડને કારણે નિધન થાય તો દિલ્હી સરકાર પચીસ વર્ષની વય સુધી દર મહિને ૨,૫૦૦ રૂપિયા આપશે. તેમને શિક્ષણ વિનામૂલ્યે આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે પરિવારની એકમાત્ર કમાનાર વ્યક્તિ પુરુષનું મૃત્ય કરોનાને કારણેથાય, તો પત્નીને પેન્શન આપવામાં આવશે, જો પત્ની મરી જાય તો તે પતિને આપવામાં આવશે. જો અપરિણીત વ્યક્તિ મરી જાય તો પેન્શન તેનાં માતાપિતાને આપવામાં આવશે.

Pawar Family Conflict: સુનેત્રા પવારના શપથગ્રહણથી શરદ પવાર અજાણ હોવાનો દાવો, બારામતીમાં વધતી રાજકીય હલચલ
Sunetra Pawar: કોણ છે સુનેત્રા પવાર? જેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા ડેપ્યુટી CM બનીને રચશે ઈતિહાસ; જાણો તેમના અભ્યાસ અને સામાજિક કાર્યો વિશેની વિગતો
Sunetra Pawar: સુનેત્રા પવારને ઉપમુખ્યમંત્રી (Deputy CM) બનાવવામાં આટલી ઉતાવળ કેમ? જાણો શું છે અસલી રમત
Ajit Pawar Plane Crash: રાજ્ય સરકારનો મોટો નિર્ણય, CID તપાસના અપાયા આદેશ; અકસ્માત પાછળના રહસ્ય પરથી ઉઠશે પડદો
Exit mobile version