Site icon News Continuous Bureau | Mumbai

કેજરીવાલ સરકારે દિલ્હી રમખાણોમાં જીવ ગુમાવનાર અંકિત શર્માના પરિવારને કરી મોટી મદદ, તેમના ભાઈને આ વિભાગમાં આપી નોકરી..

 News Continuous Bureau | Mumbai

કેજરીવાલ સરકારે દિલ્હી રમખાણોમાં જીવ ગુમાવનારા IB કર્મચારી અંકિત શર્માના ભાઈને સરકારી નોકરી આપી છે. 

Join Our WhatsApp Channel

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવારને સરકારી નોકરીનું પ્રમાણપત્ર આપ્યું. 

અંકિત શર્માના ભાઈને દિલ્હીના શિક્ષણ વિભાગમાં સરકારી નોકરી આપવામાં આવી છે.

અગાઉ પરિવારને 1 કરોડની સહાય રકમ પણ આપવામાં આવી હતી. 

સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે માનવીય તંગી ક્યારેય પૂરી ન થઈ શકે, પરંતુ આ સરકારી નોકરી અને 1 કરોડની સહાયથી પરિવારને શક્તિ મળશે, ભવિષ્યમાં પણ પરિવારને દરેક સંભવ મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી 2020 માં, ઉત્તર પૂર્વ દિલ્હીમાં રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં 53 લોકો મૃત્યુ પામ્યા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. 

IB ઓફિસર અંકિત શર્માનો મૃતદેહ 26 ફેબ્રુઆરીએ લાપતા થયાના બીજા દિવસે ચાંદ બાગ વિસ્તારમાં તેમના ઘર પાસેના નાળામાંથી મળી આવ્યો હતો.

આ સમાચાર પણ વાંચો : શું તમને ખબર છે કે કોંગ્રેસ સળંગ કેટલી વિધાનસભાની ચુટણી હારી ચુકી છે? આંકડો સાંભળી આંખો પહોળી થઈ જશે. કોંગ્રેસના નેતાએ આંકડો બહાર પાડ્યો.

Palghar Sand Mafia। દાતીવરે ખાડીમાં ગેરકાયદે રેતી માફિયાઓ પર તવાઈ રેતી ભરેલી બોટ સળગાવી દેવાઈ
Yavatmal Crime News। યવતમાળમાં પત્નીએ પ્રેમી સાથે મળી પતિને કરંટ આપી જીવતા સળગાવવાનો પ્રયાસ કર્યો
Somnath Temple 75th Anniversary। સોમનાથમાં શૌર્યના દર્શન મંદિરની 75મી વર્ષગાંઠ પર વાયુસેનાનો ‘સૂર્ય કિરણ એર શો’, આકાશમાં રચશે અદભૂત ફોર્મેશન
Maharashtra Weather Update। ક્યાંક મેઘમહેર તો ક્યાંક અગનગોળા! વિદર્ભમાં ધોધમાર વરસાદની આગાહી વચ્ચે મુંબઈમાં હીટવેવનું સંકટ, હવામાન વિભાગની મોટી ચેતવણી
Exit mobile version