Site icon News Continuous Bureau | Mumbai

એકસાથે 46 લાખ પરિવારોને મોટો ઝટકો, આજથી દિલ્હીમાં મફત વીજળી બંધ.. જાણો શું છે કારણ

Delhi Government Stops Electricity Subsidy, Blames LG Saxena

એકસાથે 46 લાખ પરિવારોને મોટો ઝટકો, આજથી દિલ્હીમાં મફત વીજળી બંધ.. જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે લોકોને આપવામાં આવતી મફત વીજળી સબસિડી બંધ કરવાની જાહેરાત કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ આની માહિતી શેર કરતા ઉર્જા મંત્રી આતિશીએ કહ્યું, ‘આજથી દિલ્હીના લોકોને આપવામાં આવતી સબસિડીવાળી વીજળી બંધ થઈ જશે. એટલે કે આવતીકાલથી સબસિડી બિલ આપવામાં આવશે નહીં.

Join Our WhatsApp Channel

જણાવ્યું આનું કારણ

આનું કારણ આપતા આતિશીએ કહ્યું, ‘મફત વીજળી સબસિડી બંધ કરી દેવામાં આવી છે કારણ કે AAP સરકારે આગામી વર્ષ માટે સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ તે ફાઇલ દિલ્હી એલજી પાસે છે અને જ્યાં સુધી ફાઇલ પરત નહીં આવે ત્યાં સુધી AAP સરકાર સબસિડી બિલ જારી કરી શકે નહીં.. આપનો આ નિર્ણય દિલ્હીની જનતા માટે કોઈ મોટા ઝટકાથી ઓછો નથી.

એલજીએ સ્પષ્ટતા આપી

દિલ્હીમાં મફત વીજળી સબસિડી અંગે મંત્રી આતિષીના નિવેદન પર દિલ્હીની એલજી ઓફિસ તરફથી પણ પ્રતિક્રિયા આવી છે. રાજભવનથી જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઉર્જા મંત્રીને એલજી વિરુદ્ધ બિનજરૂરી રાજકારણ અને પાયાવિહોણા ખોટા આરોપોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. તેમણે ખોટા નિવેદનોથી લોકોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરવું જોઈએ. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉર્જા મંત્રીએ જનતાને જવાબ આપવો જોઈએ કે આ અંગેનો નિર્ણય 4 એપ્રિલ સુધી શા માટે પેન્ડિંગ રાખવામાં આવ્યો? એલજીને 11 એપ્રિલે જ ફાઇલ કેમ મોકલવામાં આવી? અને 13મી એપ્રિલે પત્ર લખીને આજે પત્રકાર પરિષદ યોજીને નાટકની શું જરૂર છે?

આ સમાચાર પણ વાંચો :  ઉનાળામાં રેલ્વે દ્વારા મુસાફરો માટે ખાસ ટ્રેનો; મુંબઈ-પુણેથી સાત ટ્રેનોના 88 જેટલા ફેરા થશે

સીએમ અને એલજી વચ્ચે ટક્કર

મહત્વનું છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર અને રાજ નિવાસ વચ્ચે વીજળી સબસિડીને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. સીએમ અરવિંદ કેજરીવાલની સરકાર મફત વીજળી અને પાણી પરની સબસિડી પહેલાની જેમ ચાલુ રાખવા માંગે છે, જ્યારે એલજીએ પત્ર દ્વારા સૂચવ્યું હતું કે સબસિડી સીધી ગ્રાહકોના ખાતામાં મોકલવામાં આવે.

તમને જણાવી દઈએ કે જ્યારથી દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી છે, ત્યારથી ગ્રાહકોને વીજળી અને પાણીના બિલ પર સબસિડીનો લાભ મળી રહ્યો છે. ઓક્ટોબર 2022 માં, અરવિંદ કેજરીવાલ સરકારે મફત વીજળી યોજનામાં ફેરફાર કરતી વખતે માંગ પર સબસિડી આપવાની વાત કરી હતી. તેના કારણે લગભગ 25 ટકા લોકો સરકારના પાવર સબસિડીના દાયરામાં બહાર હતા.

300 કરોડનું નુકસાન

આ મુદ્દે, દિલ્હીના મુખ્ય સચિવે તાજેતરમાં એક અહેવાલ દ્વારા જણાવ્યું હતું કે DERCના નિર્દેશોનું પાલન ન કરવાને કારણે સરકારને 300 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. જો સરકાર આ મુદ્દે ધ્યાન આપે તો આ નુકસાન ટાળી શકાય તેમ છે. રિપોર્ટ આવ્યા બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વિનય સક્સેનાએ દિલ્હી સરકારને જલ્દી સ્પષ્ટતા કરવા કહ્યું હતું.

Maharashtra Fuel Shortage। મહારાષ્ટ્રમાં ઇંધણની ભારે અછતથી હાહાકાર! ખેડૂતોને તકલીફ પડી તો કલેક્ટરોની આ આકરી સજા, CM દેવેન્દ્ર ફડણવીસનો કડક આદેશ
NCB Mega Crackdown। ઓડિશામહારાષ્ટ્ર ડ્રગ્સ રૂટ પર NCBનો મોટો પ્રહાર, ગોંદિયામાં ટ્રકમાંથી ૧૦૦ કરોડનો ૭૦૨ કિલો ગાંજો જપ્ત
Maharashtra Tiger Terror। વાઘના હુમલાથી મહારાષ્ટ્ર ધ્રુજ્યું, ચંદ્રપુર અને ભંડારામાં વન્યજીવ હુમલામાં ૫ ના મોત
Maharashtra Weather Alert। મહારાષ્ટ્રના ૩ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી બહાર ન નીકળવા એડવાઇઝરી
Exit mobile version