Site icon News Continuous Bureau | Mumbai

બાપરે- મુંબઈ નજીકની આટલા હેકટર જમીન દરિયો ગળી ગયો

News Continuous Bureau | Mumbai

પર્યાવરણનું નિકંદન (Environmental degradation) નીકળી રહ્યું હોવાની પર્યાવરણવાદીઓની(environmentalists) ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ કરવું ભારે પડવાનું છે. વાતાવરણમાં થઈ રહેલા ફેરફારની સીધી અસર દરિયા નજીકના જૈવિક યંત્રણાને(Biological machinery) થઈ રહી છે. રાયગઢમાં(Raigad) 55 હેક્ટર જમીનને દરિયો ગળી ગયો હોવાનો ચોંકાવનારો અહેવાલ સંશોધકોએ(Researchers) બહાર પાડ્યો છે. સેટેલાઈટ ફોટોની(Satellite photo) મદદથી તેઓએ આ માહિતી મેળવી છે.

Join Our WhatsApp Community

તમે જાણો છો 55 હેક્ટર એટલે કેટલી જગ્યા? એક ક્રિકેટ સ્ટેડિયમના(Cricket Stadium) દસ ગણી જગ્યા દરિયો ગળી ગયો હોવાનું સંશોધકોએ જાહેર કર્યું છે. સેટેલાઈટની મદદથી લીધા ફોટોમાં રાયગઢમાં દેવઘર કિનારા(Deoghar shore) પાસેની જમીનને દરિયો પોતાના પેટમાં પધરાવી ચૂક્યો છે.

આ સમાચાર પણ વાંચો :  મુંબઈના પડોશી શહેર થાણેમાં પણ સાંબેલાધાર વરસાદ- ઠેર ઠેર ભરાયા પાણી- જુઓ વિડિયો

એક સંસ્થાએ દેવઘરના બાણકોટ ખાડી(Bankot Bay) પાસેના કિનારપટ્ટીનો ઊંડાણમાં અભ્યાસ કર્યો હતો, પ્રાથમિક માહિતી મુજબ 1990થી 2022 દરમિયાન કુલ 55 હેકટર કિનારા પર મેનગ્રોવ્ઝ અને રેતીની ચોપાટીનો ભાગ દરિયામાં ડૂબી ગયો છે. વાતાવરણમાં થઈ રહેલા ફેરફારને કારણે દરિયાની સપાટી વધી રહી છે. તેથી ભવિષ્યમાં જળપ્રલય થઈ શકે છે એવી ચેતવણી પણ આપવામાં આવી છે.
 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version