Site icon

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રીની માંગ: મની લોન્ડરિંગનું સત્ય સામે લાવવા ઇડી તપાસ કરે…જાણો વિગતે

Sushant singh rajput : શું સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં CBIને મળ્યા નવા પુરાવા? દેવેન્દ્ર ફડણવીસે કર્યો આ ખુલાસો

Sushant singh rajput : શું સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ કેસમાં CBIને મળ્યા નવા પુરાવા? દેવેન્દ્ર ફડણવીસે કર્યો આ ખુલાસો

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો

મુંબઈ

Join Our WhatsApp Community

31 જુલાઈ 2020

એક તરફ સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક તરફ સતત નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે, તો બીજી તરફ આ કેસની સીબીઆઇ તપાસ કરવાની માગ સતત ઉઠી રહી છે પરંતુ મહારાષ્ટ્ર સરકાર સતત તેને નકારી રહી છે, હવે આ મામલે મહારાષ્ટ્રના માજી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ઝુકાવ્યું છે અને તેમણે આ કેસ ફેન્સ સાથે જોડાયેલો હોવાનું કહીને મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે એક ટિ્વટ દ્વારા આ કેસ અંગે પોતાનો મત રજૂ કરીને બીજું કંઇ નહીં તો ઇડીને ECIR ની તપાસ કરવાથી અટકાવવું જોઈએ નહીં, કારણ કે તેમાં નાણાં પડાવવાની ઘટના સામે આવી છે. સાથે તેમણે સીબીઆઈની તપાસ કરવાની માગણી કરી રહેલી જનતાની ભાવનાઓને નજરઅંદાજ કરવા બદલ રાજ્ય સરકારની પણ ટીકા કરી હતી.

ઉલ્લેખનીય છે કે સતત સીબીઆઈ તપાસની માંગની વચ્ચે મહારાષ્ટ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતની મોતની તપાસ સીબીઆઈને સોંપવામાં આવશે નહીં. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું, "મુંબઈ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે." આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.

સુશાંતના મામલે તેના પિતા કે કે સિંહે કરેલી એફઆઈઆર બાદ બિહાર પોલીસની કાર્યવાહી ઝડપી બની છે. અંકિતા અને સુશાંતના રસોઈયાની પૂછપરછ બાદ બિહાર પોલીસ સુશાંતના નજીકના મિત્ર સિદ્ધાર્થ પિઠાણીયાની પણ પૂછપરછ કરશે. ત્યાર બાદ તેઓ રિયા અને તેના ભાઈની પણ પૂછપરછ કરશે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/30Ze56i 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com  

Gujarat ATS: દરજીના વેશમાં આતંકી માનસિકતા! નવસારીથી ઝડપાયેલા યુવકના ખતરનાક ઈરાદા જાણી એજન્સીઓ પણ ચોંકી ઉઠી
Ajit Pawar Plane Crash: અજીત પવારનું વિમાન અકસ્માતમાં નિધન: “મારો દમદાર અને દિલદાર મિત્ર ચાલ્યો ગયો”, CM ફડણવીસની ભાવુક પ્રતિક્રિયા
Ajit Pawar Plane Crash: મહારાષ્ટ્રના રાજકારણમાં ‘દાદા’ પર્વનો કરુણ અંત: બારામતીમાં ભીષણ વિમાન અકસ્માતમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન
Ajit Pawar Plane Accident: મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અજિત પવારના વિમાનનું બારામતીમાં લેન્ડિંગ વખતે અકસ્માત, ગંભીર ઈજાના અહેવાલથી વહીવટીતંત્ર દોડતું થયું.
Exit mobile version