Site icon News Continuous Bureau | Mumbai

Disqualification Matter: મહારાષ્ટ્ર NCP ધારાસભ્યોને ગેરલાયક મામલામાં આવ્યો હવે નવો વળાંક, સ્પીકરના નિર્ણય સામે અજિત પવાર પહોંચ્યા હાઈકોર્ટ કરી આ માંગ..

Disqualification Matter: રાહુલ નાર્વેકરે 15 ફેબ્રુઆરીએ શરદ પવાર અને અજિત પવારના જૂથ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. જે બાદ હવે નવો વળાંક આવ્યો હતો.

Disqualification of Maharashtra NCP MLAs has taken a new turn, Ajit Pawar has reached the High Court against the Speaker's decision and made this demand.

Disqualification of Maharashtra NCP MLAs has taken a new turn, Ajit Pawar has reached the High Court against the Speaker's decision and made this demand.

News Continuous Bureau | Mumbai    

Disqualification Matter:  મહારાષ્ટ્રમાં NCP ને લઈને શરદ પવાર અને અજિત પવાર ( Ajit Pawar ) વચ્ચે ચાલી રહેલી લડાઈમાં હવે નવો વળાંક આવ્યો છે. અજિત પવાર જૂથ મંગળવારે શરદ પવાર જુથના 10 ધારાસભ્યોને અયોગ્ય ન ઠેરવવાના વિધાનસભા સ્પીકરના નિર્ણય સામે હાઈકોર્ટમાં પહોંચ્યું હતું. જેના પર હાઈકોર્ટે ( High Court ) બુધવારે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને નોટિસ પાઠવી છે. હવે આ કેસની આગામી સુનાવણી 14 માર્ચે થશે

Join Our WhatsApp Channel

નોંધનીય છે કે, 15 ફેબ્રુઆરીએ સ્પીકરે શરદ પવાર ( Sharad Pawar ) અને અજિત પવારના જૂથ ( Ajit Pawar Group ) દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. તેમના નિર્ણયમાં, સ્પીકરે અજિત પવારના જૂથને વાસ્તવિક NCP ગણાવ્યું હતું. રાહુલ નાર્વેકરે ( Rahul Narvekar ) કહ્યું કે આ બંને જૂથો વચ્ચેનો આંતરિક મામલો છે, તેથી કોઈ જૂથે પક્ષ છોડ્યો નથી. આવી સ્થિતિમાં તેને ગેરલાયક ઠેરવી શકાય નહીં.

હકીકતમાં, ગયા વર્ષે જુલાઈમાં, અજિત પવાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં બળવો કરીને એકનાથ શિંદેની સરકારમાં જોડાયા હતા . આ પછી શરદ પવારે અજિત પવાર જૂથ સાથેના ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અરજી દાખલ કરી હતી. જ્યારે અજિત પવાર જૂથે શરદ પવાર જૂથના ધારાસભ્યો વિરુદ્ધ ગેરલાયકાતની અરજી દાખલ કરી હતી.

 7 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે અજિત પવારના જૂથને વાસ્તવિક NCP તરીકે જાહેર કર્યું હતું…

જે બાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો. આ પછી સ્પીકર રાહુલ નાર્વેકરે નિર્ણય માટે 15 ફેબ્રુઆરીની તારીખ નક્કી કરી હતી. જેમાં તેમણે બંને જૂથના કોઈપણ ધારાસભ્યને ગેરલાયક ઠેરવ્યા નથી. તેની સામે અજિત પવારે હવે હાઈકોર્ટમાં અરજી કરી છે.

આ સમાચાર પણ વાંચો :  Israel-Hamas war: ઈઝરાયલ- હમાસ યુદ્ધમાં જઈ રહ્યા છે મહિલા અને બાળકોના જીવ! હવે યુરોપિયન યુનિયનના આટલા દેશોએ કરી તાત્કાલિક યુદ્ધવિરામની માંગ.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે સ્પીકરે ચુકાદો આપ્યો છે કે, અજિત પવારના નેતૃત્વવાળી એનસીપી વાસ્તવિક રાજકીય પક્ષ છે, તેથી ગેરલાયકાતની અરજીઓને પણ મંજૂરી આપવી જોઈએ.

અગાઉ 7 ફેબ્રુઆરીએ ચૂંટણી પંચે અજિત પવારના જૂથને વાસ્તવિક NCP તરીકે જાહેર કર્યું હતું. તેમજ પાર્ટીનું ચૂંટણી ચિન્હ ઘડિયાળ અજિત પવાર જૂથને સોંપવામાં આવી હતી. આ નિર્ણય સામે શરદ પવાર જૂથે ( Sharad Pawar group ) સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

જેમાં 19 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે અજિત પવાર જૂથને નોટિસ પાઠવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાલમાં શરદ જૂથે એનસીપી શરદચંદ્ર પવારને ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા નામનો ઉપયોગ કરવો જોઈએ.

Pune Police Drugs Destruction પુણે પોલીસનો ડ્રગ્સ વિરુદ્ધ સપાટો, ૪ કરોડથી વધુ કિંમતના ૪૫૫ કિલો અમલી પદાર્થોનો નાશ
Maharashtra Auto Taxi Marathi Deadline Extension મરાઠી ન આવડતી હોય તો ટેન્શન નહીં! મહારાષ્ટ્રમાં ડ્રાઇવરોને ૧ વર્ષની ડેડલાઇન, ગોઠવ્યા ખાસ વર્ગો
Delimitation 543 Seats Freeze સંસદમાં ફરી રાજકીય ગરમાવો ખડગેએ PM મોદીને પત્ર લખીને કરી લોકસભાની ૫૪૩ બેઠકો ૨૫ વર્ષ સુધી યથાવત રાખવાની માંગ
Nepal Heavy Devastation ચીનની મોટી ચેતવણીથી હડકંપ નેપાળમાં વિનાશક પૂર વચ્ચે આગામી ૩ દિવસ અત્યંત જોખમી
Exit mobile version