Site icon News Continuous Bureau

Divyang Welfare Gujarat : દિવ્યાંગ વ્યક્તિઓના કલ્યાણ અર્થે કાર્યરત લોકો/સંસ્થાઓ માટે રાજ્ય પારિતોષિક સ્પર્ધા -૨૦૨૪નું આયોજન, ભાગ લેવાની તારીખ લંબાવવામાં આવી

Divyang Welfare Gujarat : દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સનો સમાવેશ થાય છે. દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો અત્રેના ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in થી અથવા મદદનીશ નિયામક રોજગાર કચેરી, બ્લોકનં-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રીજ પાસે, શાહિબાગ, અમદાવાદ ખાતે "વિનામૂલ્યે" મળી શકશે.

Divyang Welfare Gujarat State Award Competition-2024 organized for peopleorganizations working for the welfare of Divyang persons

Divyang Welfare Gujarat State Award Competition-2024 organized for peopleorganizations working for the welfare of Divyang persons

 News Continuous Bureau | Mumbai

Divyang Welfare Gujarat :

Join Our WhatsApp Community

અત્રે ઉલ્લેખનીય છેકે વર્ષ-૨૦૨૪માં વિવિધ કેટેગરીમાં રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજીઓ મંગાવવામાં આવે છે. જેમાં (૧) શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ / સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, (૨) દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ, (૩) દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતાં પ્લેસમેન્ટ ઓફીસર્સનો સમાવેશ થાય છે. દિવ્યાંગ પારિતોષિક માટેની અરજીઓનો નમૂનો અત્રેના ખાતાની વેબસાઈટ www.talimrojgar.gujarat.gov.in થી અથવા મદદનીશ નિયામક રોજગાર કચેરી, બ્લોકનં-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રીજ પાસે, શાહિબાગ, અમદાવાદ ખાતે “વિનામૂલ્યે” મળી શકશે. 

આ સમાચાર પણ વાંચો: Career Festival: શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા ‘કરિયર મહોત્સવ’ ને ખૂલ્લો મુકાયો, ગુજરાતની આટલી શાળાઓમાં યોજાશે

આ અરજી સાથે ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, છેલ્લા ત્રણ માસની અંદરનું દાક્તરી પ્રમાણપત્ર અને પોલીસ વેરીફીકેશન તથા અન્ય સંબંધિત તમામ પ્રમાણપત્રો, દિવ્યાંગતા દર્શાવતા પોસ્ટકાર્ડ સાઈઝના ફોટા સહિત બિડાણમાં સામેલ રાખવા. નોકરીદાતા તેમજ પ્લેસમેન્ટ ઓફિસરએ પણ ફોર્મમાં દર્શાવેલ કોલમ મુજબની પૂરેપૂરી વિગતો જણાવવી તેમજ તેને સંબંધિત જરૂરી બિડાણો અચૂક સામેલ કરવા. તેમજ ભરેલા અરજીપત્રકો સાધનિક દસ્તાવેજો સહિત બે નકલમાં મદદનીશ નિયામક રોજગારની કચેરી, બ્લોકનં-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રીજ પાસે, શાહિબાગ, અમદાવાદ ખાતે મોડામાં મોડા તા.૧૭/૦૩/૨૦૨૫ સુધીમાં રૂબરૂ અથવા ટપાલ દ્વારા મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવે છે. અધુરી વિગત વાળી / નિયત સમય મર્યાદા બાદની આવેલ અરજી સ્વીકારવામાં આવશે નહી. વધુ માહિતી માટે મદદનીશ નિયામક રોજગારની કચેરી, બ્લોકનં-એ-બી, અસારવા બહુમાળી ભવન, ગિરધરનગર બ્રીજ પાસે, શાહિબાગ, અમદાવાદનો સંપર્ક સાધવા વિનંતી છે એમ મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed

 

Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Exit mobile version