Site icon News Continuous Bureau | Mumbai

ગણપતિ દર્શન માટે સગા વ્હાલાઓને આમંત્રણ આપશો નહીં — ઉદ્ધવ ઠાકરેની અપીલ

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

22 ઓગસ્ટ 2020 

આ વર્ષે કોરોનાનુ સંક્રમણ વધી રહ્યું છે. એવા સમયે ગણેશોત્સવ દરમિયાન કોઈપણ સગા, સંબંધીઓ, મિત્રો ને ઘરે દર્શન કરવાનું આમંત્રણ આપશો નહીં, એવું નિવેદન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કર્યું છે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગણેશ ઉત્સવને લઇને ખાસ નિયમો જારી કરવામાં આવ્યા છે. જેને જોતા મોટાભાગની હાઉસિંગ સોસાયટીઓ એ પણ આ વર્ષે સાર્વજનિક ગણેશ મહોત્સવ ની ઉજવણી કરવાનું ટાળ્યું છે. જ્યારે સોસાયટીના સભ્યો માટે પ્રશાસન દ્વારા કૃત્રિમ તળાવ બનાવાયા છે અને બે ફૂટથી વધુ લંબાઈની મૂર્તિઓ ન સ્થાપવાનું કહેવામાં આવ્યું છે. કોરોના જેવી મહામારી ફાટી નીકળવાને કારણે મંડપમાં પણ ભક્તોને માળા ફૂલ-પ્રસાદ જેવી વસ્તુઓ ન લાવવાની તાકીદ કરાઈ છે..

 

ગણપતિ એટલે મહારાષ્ટ્રમાં અને મુંબઈનો રાજ્યોત્સવ.. પરંતુ, આ વર્ષે કોરોનાના પ્રકોપને કારણે જેમના ઘરે ગણપતિ બેસાડવા હશે, તેવા નાગરિકો સ્વજનો મિત્રો અથવા સમાજના અન્ય સભ્યોને પોતાના ઘરે ગણપતિ દર્શનનું કોઈને નિમંત્રણ આપી શકશે નહીં. એકદમ સાદાઈથી ઉજવણી કરવી પડશે. દર વર્ષે તો અગિયાર દિવસના ગણેશની સ્થાપના કરવામાં આવે છે. જે અનંત ચતુર્થીના દિવસે દરિયાકિનારે કે નદીમાં સુધી ગાજતે વિસર્જન માટે લઈ જવામાં આવે છે. પરંતુ, આ વર્ષે એવા દ્રશ્યો નહીં જોવા મળે છે. આ ઉપરાંત જ્યાં ગણપતી સ્થાપના થઇ છે ત્યાં પણ 5 થી વધુ લોકો જમા થઈ શકશે નહીં. માસ્ક પહેરવું ફરજીયાત છે અને બે ફુટનું અંતર જાણવું પડશે, જેવા કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ની અપીલનેધ્યાનમાં રાખી મુંબઈની મોટા ભાગની સોસાયટીઓ સરકારના આદેશનું સંપૂર્ણ પાલન કરવા તૈયાર છે. જેથી કોરોનાવાયરસ થી બચી શકાય.. આમ આ વર્ષે ગણપતિ ની ઉજવણી ખૂબ સાદાઈથી કરવા માટે લોકો પણ તૈયાર છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Udhayanidhi Stalin ઉદયનિધિ સ્ટાલિનની અટકાયત પર મદ્રાસ હાઇકોર્ટનો મોટો આદેશ પૂછપરછ પૂર્ણ થયા બાદ મુક્ત કરવા નિર્દેશ
Vasai wildlife trafficking racket કેરળથી મુંબઈ લાવવામાં આવતું હતું કરોડોનું કાળું સોનું વસઈ પોલીસે પર્દાફાશ કરી ઝડપ્યા ૫ આરોપીઓ..
DY Patil Passes Away રાજકારણ અને શિક્ષણ જગતને મોટી ખોટ પદ્મશ્રી ડી.વાય. પાટીલનું ૯૦ વર્ષની વયે નિધન, કોલ્હાપુરમાં શોકની લહેર
Loco Pilots Stop Train Save Lions રેલવે ટ્રેક પર અચાનક આવી પહોંચ્યા ૫ સિંહ, લોકો પાઈલટ્સે સમયસૂચકતા વાપરીને આ રીતે બચાવ્યા ની સતર્કતાથી ટળી મોટી દુર્ઘટના, રેલવે ટ્રેક પર આવી ગયેલા ૫ સિંહોનો જીવ બચાવ્યો, વીડિયો વાયરલ
Exit mobile version