Site icon

Dog Bites : મહારાષ્ટ્રમાં શ્વાન કરડવાના કેસમાં ચિંતાજનક વધારો, આ વર્ષે 4.35 લાખ લોકો પર કર્યો હુમલો, સૌથી વધુ મુંબઈમાં.. આંકડા છે ડરામણા..

Dog Bites: વર્ષ 2023 માં, મહારાષ્ટ્રમાં 4,35,136 કૂતરા કરડવાના કેસ નોંધાયા છે, જ્યારે 2022 માં, 3,90,868 કેસ નોંધાયા હતા, એટલે કે આ વર્ષે 11.32% નો વધારો થયો છે.. .

Dog Bites Maharashtra Reports 4,35,136 Dog Bite Cases; Over 11% Surge In 2023

Dog Bites Maharashtra Reports 4,35,136 Dog Bite Cases; Over 11% Surge In 2023

 News Continuous Bureau | Mumbai 

Dog Bites: મહાનગરોમાં માણસોની સાથે પ્રાણી ( Animals ) ઓની વસ્તી પણ વધી રહી છે, જેની ખરાબ અસરો દેખાઈ રહી છે. ખાસ કરીને શેરી કૂતરા ( Stray dogs ) ઓની સંખ્યા વધી રહી છે, જેની સાથે કૂતરા કરડવા  ( Dog bite cases ) ના કેસ પણ વધવા લાગ્યા છે. સ્થિતિ એવી છે કે વર્ષ 2023માં મહારાષ્ટ્ર (Maharashtra ) માં સૌથી વધુ શ્વાન કરડવાના કેસ નોંધાયા છે. મંત્રાલય દ્વારા શેર કરાયેલ ડેટા મુજબ 2023માં રાજ્યમાં કૂતરાના કરડવાના 4,35,136 કેસ નોંધાયા હતા, જ્યારે 2022માં 3,90,868 કેસ નોંધાયા હતા. આ વર્ષે કૂતરા કરડવાના કેસમાં 11.32%નો વધારો થયો છે.

Join Our WhatsApp Community

આ કારણે કુતરાઓ બને છે હિંસક

મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજ્યમાં કૂતરા કરડવાના કેસોમાં વધારો થવાના ઘણા કારણો છે, જેમાં રખડતા કૂતરાઓની સંભાળ લેવા પ્રત્યે મ્યુનિસિપલ સંસ્થાઓ ( BMC ) ની બેદરકારીનો પણ સમાવેશ થાય છે. દાવો કરવામાં આવ્યો છે કે રખડતા પ્રાણીઓને પૂરતો ખોરાક, આશ્રય અથવા તબીબી સંભાળ મળતી નથી, તેથી તેઓ હિંસક બની જાય છે અને અનેક રોગોનો ભોગ બને છે.  

મુંબઈમાં 60,000 ઘટનાઓ નોંધાઈ 

સમગ્ર રાજ્યમાં, રખડતા કૂતરાઓના હુમલાના અહેવાલો વધ્યા છે, ખાસ કરીને મુંબઈ ( Mumbai ) માં, જ્યાં વાર્ષિક આશરે 60,000 ઘટનાઓ નોંધાઈ છે. આ હુમલાનો ભોગ મોટાભાગે યુવતીઓ અને મોડી રાતે ફરતા લોકો હોય છે.  

અધિકારીનું કહેવું છે કે રખડતા કૂતરાઓની વસ્તી દર વર્ષે મોટી સંખ્યામાં વધી રહી છે. તેમ કૂતરાઓ સંસાધનોનો અભાવ અનુભવે છે, જેના કારણે તેઓ લોકો અને અન્ય પ્રાણીઓ પ્રત્યે ગુસ્સે થાય છે. પાગલ, ઇજાગ્રસ્ત, ભૂખ્યા, ઇજાગ્રસ્ત અથવા ગભરાયેલા હોવા ઉપરાંત, રખડતા કૂતરા તેમના ગલુડિયાઓનું રક્ષણ કરતી વખતે હિંસક બને છે અને લોકો પર હુમલો કરી બેસે છે. મહત્વનું છે જ ભારતમાં 2001થી શ્વાનોને મારવા પર પણ પ્રતિબંધ છે. કાયદા અનુસાર, શેરીઓમાંથી શ્વાનોને હટાવવા ગેરકાયદેસર છે.

જોકે ભારતની વડી અદાલતે ( Supreme court ) , 2008 માં, બોમ્બે હાઈકોર્ટના ચુકાદાને રદ્દ કર્યો હતો, જે મ્યુનિસિપલ સત્તાવાળાઓને “ઉપદ્રવ પેદા કરતા” શ્વાનોને મારવાની મંજૂરી આપે છે. ભારતીય બંધારણના અનુચ્છેદ 51A(G) જણાવે છે કે, ‘વન્યજીવનું રક્ષણ કરવું અને તમામ જીવંત જીવો પ્રત્યે કરુણા રાખવી એ ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે’.

આ સમાચાર પણ વાંચો : Sandeep Lamichhane: IPL રમી ચૂકેલ નેપાળનો આ ક્રિકેટર બળત્કારના કેસમાં દોષી.. આ તારીખે સજા થશે જાહેર.. જાણો સંપુર્ણ મામલો વિગતે અહીં..

કોવિડ પછી આંકડામાં થયો ઘટાડો

ઉલ્લેખનીય છે કે કોવિડ પહેલા, શહેરમાં વાર્ષિક આશરે 85,000 કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા. કોવિડ પછી, વાર્ષિક ધોરણે આ સંખ્યા ઘટીને લગભગ 60,000 કેસ થઈ ગઈ, જોકે ઘટાડા માટે કોઈ ચોક્કસ કારણ દર્શાવવામાં આવ્યું નથી. પાલિકાએ 2018 થી 90,000 થી વધુ રખડતા કૂતરાઓની નસબંધી કરી છે, સ્થાનિક અધિકારીઓનું માનવું છે કે મુંબઈમાં કૂતરાની વર્તમાન વસ્તી 2014 માં 95,127 થી વધીને લગભગ 1.64 લાખ થઈ ગઈ છે. જોકે કૂતરાઓની વસ્તી ગણતરી હજુ થઈ નથી.

Jogeshwari accident: જોગેશ્વરીમાં નિર્માણાધીન ઈમારતે યુવતીનો ભોગ લીધો: સિમેન્ટની ઈંટ માથે પડતાં ૨૨ વર્ષીય યુવતીનું કરુણ મૃત્યુ
Maharashtra monsoon retreat: મહારાષ્ટ્રમાં ભારે નુકસાન બાદ ચોમાસાની વિદાય; દક્ષિણ અને ઉત્તર ભારતમાં હજુ વરસાદની આગાહી
Flipkart fraud: ભાયંદર માં આંતરરાજ્ય સાયબર ઠગ ગેંગ ઝડપાઈ:Flipkart માંથી મોંઘા મોબાઇલ મંગાવી ₹ ૫૦ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Mumbai crime branch: બોગસ ટ્રેડિંગ એપ દ્વારા ₹ ૬૧૫ કરોડનું ફૂલેકું! કંદિવલીમાંથી મોટું ઑનલાઈન કૌભાંડ પકડાયું
Exit mobile version