Site icon News Continuous Bureau | Mumbai

Maharashtra : ડીઆરઆઈએ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજી નગર ખાતે નાર્કોટિક્સના ઉત્પાદન સાથે સંકળાયેલી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો

Maharashtra : ડીઆરઆઈ મારફતે કરવામાં આવેલી કામગીરી, સિન્થેટિક ડ્રગ્સના વધતા ઉપયોગ અને આ દવાઓના ઉત્પાદનમાં ઔદ્યોગિક એકમોના દુરૂપયોગ પર પ્રકાશ પાડે છે. આ ઓપરેશન દેશમાં નાર્કોટિક્સના જોખમને પહોંચી વળવા માટે આંતરએજન્સી સહકારના મહત્વને પણ પ્રકાશિત કરે છે.

DRI busts narcotics manufacturing factory at Chhatrapati Sambhaji Nagar, Maharashtra

DRI busts narcotics manufacturing factory at Chhatrapati Sambhaji Nagar, Maharashtra

News Continuous Bureau | Mumbai 

Maharashtra : ડીઆરઆઈ(DRI) અમદાવાદ ઝોનલ યુનિટ અને ક્રાઈમ બ્રાન્ચ, અમદાવાદ પોલીસ, ગુજરાત(Gujarat )

Join Our WhatsApp Community

દ્વારા ચોક્કસ બાતમીના આધારે ડીઆરઆઈ દ્વારા શુક્રવાર, 20.10.2023ના રોજ મહારાષ્ટ્રના

છત્રપતિ સંભાજીનગર (Aurangabad) જિલ્લામાં વિવિધ સ્થળોએ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ, 1985

હેઠળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

બાદમાં ઔરંગાબાદ પોલીસની(Police) ક્રાઇમ બ્રાંચે પણ આ કામગીરીમાં મદદ કરી હતી.

એક આરોપીના રહેણાંક પરિસરની તલાશી લેતાં તેમાંથી આશરે 23 કિલો કોકેઇન, 

આશરે 2.9 કિલો મેફેડ્રોન અને આશરે રૂ.30 લાખની ભારતીય કરન્સી મળી આવી હતી.

મેફેડ્રોન અને કેટામાઇનના ઉત્પાદન સાથે સંકળાયેલી મહાલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ નામથી પૈઠણ એમઆઈડીસીમાં સ્થાપિત

એક ફેક્ટરી મળી આવી હતી. આ સ્થળેથી કુલ 4.5 કિલો મેફેડ્રોન, 4.3 કિલો કેટામાઇન અને આશરે 9.3 કિલો

વજનના મેફેડ્રોનનું અન્ય એક મિશ્રણ મળી આવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Today’s Horoscope : આજે 23 ઓક્ટોબર 2023, જાણો આજનું રાશિ ભવિષ્ય અને પંચાંગ.

આ માદક દ્રવ્યો અને સાયકોટ્રોપિક પદાર્થોનું ગેરકાયદેસર બજાર મૂલ્ય રૂ. ૨૫૦ કરોડથી વધુ હોવાનું જાણવા મળ્યું છે. 

એનડીપીએસ એક્ટ, 1985ની સંબંધિત જોગવાઈઓ હેઠળ તમામ મળી આવેલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા છે.

એનડીપીએસ એક્ટ, 1985ની જોગવાઇઓ હેઠળ મુખ્ય કાવતરાખોર સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસની વધુ તપાસ ચાલુ છે.

ડીઆરઆઈ મારફતે કરવામાં આવેલી કામગીરી, સિન્થેટિક ડ્રગ્સના વધતા ઉપયોગ અને આ દવાઓના ઉત્પાદનમાં

ઔદ્યોગિક એકમોના દુરૂપયોગ પર પ્રકાશ પાડે છે. આ ઓપરેશન દેશમાં નાર્કોટિક્સના જોખમને પહોંચી વળવા માટે

આંતરએજન્સી સહકારના મહત્વને પણ પ્રકાશિત કરે છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version