Site icon

તો મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મોકૂક રાખવી પડશે- મહારાષ્ટ્રના આ પ્રધાને આપી ચેતવણી- જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં અનેક સ્થાનિક સંસ્થાઓ સહિત અનેક ચૂંટણીઓનો(Elections) સમય નજીક આવ્યો છે ત્યારે બરોબર એવા સમયે રાજ્ય સામે ફરી એક વખત કોરોનાની(Corona) ગંભીર સંકટ નિર્માણ થયું છે. ગુરુવારે  મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ(Chief Minister Uddhav Thackeray) કોવિડ ટાસ્ક ફોર્સ(Covid Task Force) સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. મુખ્યમંત્રીએ નાગરિકોને જો પ્રતિબંધ ન જોઈતા હોય તો માસ્કનો(Covid19 masks) ઉપયોગ કરવાની અપીલ કરી હતી. આ પૃષ્ઠભૂમિ પર રાજ્યના સહાય અને પુનર્વસન મંત્રી(Minister of Assistance and Rehabilitation) વિજય વડેટ્ટીવારે(Vijay Wadettiwar) ચૂંટણીને લઈને કેટલાક સંકેતો આપ્યા છે.

Join Our WhatsApp Community

આગામી 8 થી 10 દિવસ મહત્વના છે. આ દિવસોમાં કોરોના દર્દીઓની(Corona patients) કેટલી વધી રહી છે તેનો અભ્યાસ કરાશે. પરિસ્થિતિ શું છએ તેના પર નિર્ણય લેવામાં આવશે. આગામી ચૂંટણીને જોકે સમય છે. ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં કદાચિત ચૂંટણી યોજાશે. પરંતુ જો કોરોનાની સ્થિતિ ગંભીર બનશે તો ચૂંટણી પંચે ચૂંટણી મોકૂફ રાખવાની વિનંતી કરવી પડશે, એમ મંત્રી વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું.

આ સમાચાર પણ વાંચો : શું મહારાષ્ટ્રમાં ફરી એક વાર લોકડાઉન લાગશે- જાણો કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે ટાસ્ક ફોર્સની બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ચૂંટણીમાં લોકોની ભીડ જામશે,, જેના કારણે ફરીથી કોરોનાના કેસમાં વધારો થશે, તેથી ચૂંટણી ટાળી શકાય કે કેમ તે સવાલ છે. અમે અમારા વતી વિનંતી કરીશું પરંતુ ચૂંટણી યોજવી કે નહીં તે નિર્ણય ચૂંટણી પંચ પર છે. એમ પણ વડેટ્ટીવારે પણ કહ્યું હતું. વડેટીવારના નિવેદન બાદ રાજ્યની ચૂંટણી સમયસર થશે કે કેમ તે અંગે શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
 

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version