Site icon News Continuous Bureau | Mumbai

ગહોલોતના મળતીયાઓની કંપની પર આવકવેરાના દરોડા.. જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

13 જુલાઈ 2020

રાજસ્થાનમાં રાજકીય સંકટ વચ્ચે, આવકવેરા વિભાગે મુખ્ય પ્રધાન અશોક ગેહલોતની નજીકના શખ્સને ત્યાં આવકવેરા વિભાગના 200 થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓએ દિલ્હી અને રાજસ્થાનમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે. આ દરોડા અશોક ગેહલોતની નજીકના ધર્મેન્દ્ર રાઠોડ અને રાજીવ અરોરાને ત્યાં પાડવામાં આવ્યા છે

આવકવેરા વિભાગની ટીમેં જ્વેલરી શૉ રૂમના માલિક અને સીએમ અશોક ગેહલોતના નજીકની વ્યક્તિ ના ઘરો અને કચેરીઓ પર દરોડા પાડયા છે. ખાસ વાત એ છે કે આ દરોડા અંગે સ્થાનિક પોલીસને માહિતી આપવામાં આવી ન હતી. આવકવેરા વિભાગની ટીમ સેન્ટ્રલ રિઝર્વ પોલીસની સાથે દરોડા પાડી રહી છે.

આ ઉપરાંત, આવકવેરા વિભાગે બીજા એક વ્યક્તિ ના નિવાસસ્થાન અને ઓફિસ પર દરોડા પાડયા છે. આ બંને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતની નજીક હોવાનું કહેવાય છે. સૂત્રો કહે છે કે આ બંને વ્યક્તિ પર દેશની બહાર કરવામાં આવતા વ્યવહારો અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ બંને વ્યક્તિઓના આશરે 24 સ્થળોએ ચાલી રહેલા દરોડા અંગે કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે . કોંગ્રેસે ભાજપ પર ગેહલોત સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ, સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના આવકવેરા વિભાગના દરોડા અંગે સવાલ ઉઠાવ્યા હતા. બીજી બાજુ કોંગ્રેસના આ આક્ષેપોને ભાજપના પ્રવક્તા એ નકારી દીધા છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2ZknkhT 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

 

Navi Mumbai Youth Murder Argument તુચ્છ તકરારે લીધો યુવાનનો જીવ! નવી મુંબઈમાં ધોળા દિવસે ઘાતકી હત્યાથી ફફડાટ, આરોપીઓની શોધખોળ તેજ
BJP MLA Parag Shah Beggar બીજેપી ધારાસભ્ય પરાગ શાહે ભિખારીનો વેશ ધારણ કરીને ઘાટકોપરના રસ્તા પર ભીખ માંગી; જાણો કારણ..
Manoj Jarange Patil Mumbai Protest મનોજ જરાંગેના મુંબઈના આંદોલન પર સરકારની પહેલી પ્રતિક્રિયા, ગણેશ ઉત્સવને લઈને વ્યક્ત કરી ચિંતા
Pune Ganesh Festival Alcohol Ban શા માટે ૧૦ દિવસીય શરાબબંધી સામે ભડકી હાઈકોર્ટ? અદાલતની ફટકાર બાદ તંત્રએ બદલવો પડ્યો નિર્ણય
Exit mobile version