Site icon

મહારાષ્ટ્રની ઠાકરે સરકારને આંચકો, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પરિવહન મંત્રી અનિલ પરબને આ તારીખે હાજર થવા નોટીસ પાઠવી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અને શિવસેનાના નેતા અનિલ પરબને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. 

પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. 

અનિલ પરબને 31 ઓગસ્ટના સવારે 11 વાગ્યે મુંબઈમાં બલાર્ડ સ્ટેટ સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

અનિલ પરબે આ કેસમાં પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આજે સાંજે મને ED ની નોટિસ મળી છે. આમાં કોઈ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.  

આ અંગે શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આવું થવાનું જ હતું. પાર્ટી તેને કાયદેસર રીતે લડશે. રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે,`ખૂબ સારું, જન આશીર્વાદ યાત્રા પૂરી થતાં જ અનિલ પરબને ED નોટીસ મળી. 

કેન્દ્ર સરકારે તેનું કામ શરૂ કર્યું. પરબ રત્નાગીરી જિલ્લાના પ્રભારી મંત્રી છે. ઘટનાક્રમ સમજો, અમે કાનૂની નોટિસને કાયદાકીય રીતે લડીશું. જય મહારાષ્ટ્ર.

તો શું મહારાષ્ટ્રમાં ફરી નાઇટ કર્ફ્યુ લાગુ પડશે? આ પ્રધાને આપ્યું ચોંકાવનારું નિવેદન; જાણો વિગત  

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version