Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રની ઠાકરે સરકારને આંચકો, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પરિવહન મંત્રી અનિલ પરબને આ તારીખે હાજર થવા નોટીસ પાઠવી; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મહારાષ્ટ્રના પરિવહન પ્રધાન અને શિવસેનાના નેતા અનિલ પરબને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. 

પૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમને પૂછપરછ માટે સમન્સ પાઠવવામાં આવ્યું છે. 

અનિલ પરબને 31 ઓગસ્ટના સવારે 11 વાગ્યે મુંબઈમાં બલાર્ડ સ્ટેટ સ્થિત એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઓફિસમાં હાજર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

અનિલ પરબે આ કેસમાં પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે, આજે સાંજે મને ED ની નોટિસ મળી છે. આમાં કોઈ કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.  

આ અંગે શિવસેનાના નેતા સંજય રાઉતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આવું થવાનું જ હતું. પાર્ટી તેને કાયદેસર રીતે લડશે. રાઉતે ટ્વિટ કરીને કહ્યું કે,`ખૂબ સારું, જન આશીર્વાદ યાત્રા પૂરી થતાં જ અનિલ પરબને ED નોટીસ મળી. 

કેન્દ્ર સરકારે તેનું કામ શરૂ કર્યું. પરબ રત્નાગીરી જિલ્લાના પ્રભારી મંત્રી છે. ઘટનાક્રમ સમજો, અમે કાનૂની નોટિસને કાયદાકીય રીતે લડીશું. જય મહારાષ્ટ્ર.

તો શું મહારાષ્ટ્રમાં ફરી નાઇટ કર્ફ્યુ લાગુ પડશે? આ પ્રધાને આપ્યું ચોંકાવનારું નિવેદન; જાણો વિગત  

Igatpuri Incident ઈગતપુરીના ભાવલી ધોધ પર પ્રવાસી પરિવાર પર જીવલેણ હુમલો અને મહિલાની છેડતી; ૭ અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ
Ketan Agrawal Murder Case “જે પુત્રના લગ્નના સપના જોયા, તેના જ અંતિમ સંસ્કાર કર્યા…” કેતન અગ્રવાલ હત્યાકાંડમાં માતાનો આક્રંદ!
Ambalal Patel Weather Forecast Stop ‘જાથા’ સામે ઝૂક્યા કે આત્મસન્માનને ઠેસ?! હવે આગાહીઓ નહીં કરે અંબાલાલ.. આગાહીકારે કેમ લીધો આકરો નિર્ણય!
Youngest Guinness World Record Robotics આંગળીથી અડધા સાઈઝનો રોબોટિક આર્મ બનાવ્યો, નાગપુરના 17 વર્ષના છોકરાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ!
Exit mobile version