Site icon News Continuous Bureau | Mumbai

પડદા પાછળ શું રમાઈ રહ્યું છે રાજકરણ? શરદ પવાર બાદ દેવેન્દ્ર ફડણવીસે લીધી એકનાથ ખડસેની મુલાકાત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 જૂન 2021

Join Our WhatsApp Community

બુધવારે

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે ભાજપ સાથે છેડો ફાડીને NCPમાં જોડાયેલા એકનાથ ખડસેની મુલાકાત લીધી હતી. બંને નેતાઓ વચ્ચે થયેલી આ મુલાકાત બાદ જોકે રાજકીય સ્તરે જાતજાતની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ અગાઉ ફડણવીસે NCPના સર્વેસર્વા શરદ પવાર સાથે પણ બેઠક કરી હતી, એથી બંધ બારણે કશું ચાલી રહ્યું હોવાનું મનાય છે.

દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના કોથળીમાં આવેલા એકનાથ ખડસેના નિવાસસ્થાને તેમને મળ્યા હતા. એના પર જાતજાતની ચર્ચાએ જોર પકડ્યું છે. તેને પગલે ખડસેનાં પુત્રવધૂ અને ભાજપનાં સાંસદ રક્ષા ખડસેએ આ રાજકીય મુલાકાત નહીં, પણ એક પારિવારિક મુલાકાત જણાવી હતી

અનેક ચર્ચાઓ જોર પકડતાં. રક્ષા ખડસેએ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ફડણવીસ હંમેશાં તેમના પરિવારની મુલાકાત લેતા હોય છે. આ કંઈ પહેલી વખત નથી કે તેઓએ અમારા ઘરની મુલાકાત લીધી હોય. રાજકરણ, રાજકરણની જગ્યાએ છે અને અમારા સંબંધ અલગ જગ્યાએ છે. હું ભાજપની સાંસદ છું એટલે ભાજપના નેતા આવે તો અમારા ઘરે ચા-પાણી માટે બોલાવવા એ મારી ફરજ છે.

ભ્રષ્ટાચાર : નવી મુંબઈમાં એક યુવકે મહાપાલિકા મુખ્યાલય સામે આત્મદાહનો પ્રયત્ન કર્યો. પણ કેમ? જાણો અહીં

ખડસેના પુત્રવધૂ રક્ષા ખડસેએ દેવેન્દ્ર ફડણવીસની મુલાકાતને એક સામાન્ય મુલાકાત ગણાવી હતી, પરંતુ ફડણવીસની આ મુલાકાત અંગે રાજકીય સ્તરે અનેક અટકળો ચાલી રહી છે.

Maharashtra Politics: શિવસેનામાં ‘આદિત્ય’ યુગની તૈયારી! ઉદ્ધવ ઠાકરે સોંપી શકે છે મોટી જવાબદારી, રાજકીય સમીકરણો બદલાશે
Kalyan-Ahilyanagar Highway Tragedy: કલ્યાણ-અહિલ્યાનગર હાઈવે પર રક્તપાત: ઈકો કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 8ના કરૂણ મોત.
Surendranagar Highway Accident: ચોટીલા દર્શને જતા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા: સુરેન્દ્રનગરમાં ટ્રકે પદયાત્રીઓને અડફેટે લેતા 7ના કરૂણ મોત
Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Exit mobile version