News Continuous Bureau | Mumbai
એકનાથ શિંદે(Eknath Shinde) અને ઉદ્ધવ ઠાકરે(Uddhav Thacekray)વચ્ચેનો વિવાદ હવે ઉગ્ર બનતો જાય છે. પહેલી વખત એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન તાક્યું છે અને સીધા શબ્દોમાં ધમકી આપી છે. આ ધમકી શિવસેના(Shivsena)ની ભાષામાં જ આપવામાં આવી છે. પોતાના ટ્વીટ ના માધ્યમ થી એકનાથ શિંદેએ સીધા શબ્દોમાં જણાવી દીધું છે કે જો તેમને અથવા તેમના સમર્થક ધારાસભ્યો(MLAs)ને ડરાવવામાં આવશે અથવા ડિસ્કોલીફાય કરવામાં આવશે તો કાયદાકીય રીતે ઉદ્ધવ ઠાકરેને સમજાવવામાં આવશે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું છે કે અમે પણ કાયદાના જાણકાર છીએ અને સુપ્રીમ કોર્ટ(Supreme court)ના અનેક ચુકાદાઓ આવી ચૂક્યા છે.
આ સમાચાર પણ વાંચો : શરદ પવાર હવે બેચેન થયા- એકનાથ શિંદે સહિતના નારાજ ધારાસભ્યોને આ ધમકી આપી
ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે ના વિવાદમાં એવું પહેલી વાર બન્યું છે કે એકનાથ શિંદે સીધુ ઠાકરે પર નિશાન તાક્યું હોય. જુઓ ટ્વીટ.
