Site icon

ચૂંટણી પ્રચારમાં છૂટ મળશે કે પ્રતિબંધ વધશે? આજે ચૂંટણી પંચની બેઠકમાં લેવાશે મહત્વનો નિર્ણય; આ મહત્વના મુદ્દા પર થશે સમીક્ષા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 જાન્યુઆરી 2022         

Join Our WhatsApp Community

સોમવાર

દેશના 5 રાજ્યોમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે. પરંતુ પંચે કોરોનાને કારણે રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો છે.

આજે પાંચ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ અને કોરોના રસીકરણ અભિયાનની સમીક્ષા કરશે. 

સાથે પંચની આ બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવશે કે રેલી પર પ્રતિબંધ ચાલુ રાખવો કે નહીં. 

કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં કોરોનાની સ્થિતિમાં સુધારો થયો હોવા છતાં ચૂંટણી પંચ હજુ પ્રતિબંધ હટાવવાના મૂડમાં નથી.

જોકે, પ્રતિબંધોમાં થોડી છૂટછાટ મળવાની શક્યતા છે.

આયોગ કેન્દ્રીય આરોગ્ય સચિવ, મુખ્ય સચિવો અને પાંચ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ સહિત અન્ય લોકો સાથે પણ આ અંગે ચર્ચા કરશે.  

ઉલ્લેખનીય છે કે 8 જાન્યુઆરીએ ચૂંટણી પંચે રેલીઓ, જાહેર સભાઓ અને રોડ-શો પર પ્રતિબંધ મૂક્યો હતો. પહેલા આ પ્રતિબંધ 15 જાન્યુઆરી સુધી હતો અને પછી તેને 31 જાન્યુઆરી સુધી લંબાવવામાં આવ્યો હતો.

Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Maharashtra Weather Forecast: ખેડૂતો માટે માઠા સમાચાર: વરસાદ ભલે ઓછો થાય પણ વાતાવરણમાં થશે મોટો પલટો, હવામાન વિભાગે આપી ચેતવણી.
Maharashtra Weather: રાજ્યમાં વરસાદી વિરામ: મુંબઈ-પુણે સહિત મહારાષ્ટ્રમાં આકાશ ચોખ્ખું થશે, વિદર્ભના બે જિલ્લામાં હળવા વરસાદની આગાહી.
Exit mobile version