Site icon

શરમજનક; મહારાષ્ટ્રમાં વધારાનાં ૧૧ હજાર મૃત્યુ નોંધાયાં જ નથી, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૦ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

રાજ્ય સરકારે દાવો કર્યો છે કે મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે, પરંતુ વાસ્તવિક સંખ્યા ઘણી વધારે છે. રાજ્યના આરોગ્ય વિભાગે બુધવારે જણાવ્યું હતું કે, મૃત્યુ ટોલ પૉર્ટલ પર 11,617 વધારાનાં મોત નોંધાયાં નથી. સંબંધિત જિલ્લા સર્જનોને રજિસ્ટ્રેશન ન કરાવવાની સ્થિતિમાં કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. એકવાર રેકૉર્ડ પૂર્ણ થયા બાદ રાજ્યમાં મૃત્યુઆંકમાં ઓછામાં ઓછા 10 ટકાનો વધારો થવાની સંભાવના છે.

હવે સવાલ એ ઊભો થાય છે કે આ બેદરકારી માટે જવાબદાર કોણ? એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ રાજ્યમાં ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૦થી ૨૦ મે સુધીમાં થયેલાં11,617 મૃત્યુની નોંધણી પૉર્ટલ પર થઈ નથી. રાજ્યના અપર મુખ્ય સચિવ ડૉ. પ્રદીપ વ્યાસે અધિકારીઓના વોટ્સઍપ ગ્રુપમાં આ બાબતે મૅસેજ કરી અધિકારીઓનું ધ્યાન આ તરફ દોર્યું હતું.

બિલ્ડર હવે મન મરજી મુજબ માળ નહીં ચડાવી શકે; આવી ગયો આ કડક નિયમ

ઉલ્લેખનીય છે કે આ નોંધણી ન થયેલાં11,617 મૃત્યુમાંથી સૌથી વધુ 5,768 મૃત્યુ પુણેમાં થયાં છે. મુંબઈમાં આ સંખ્યા 1,604,ઔરંગાબાદમાં 1086, નાગપુરમાં 1,893 છે તેમ જ નાસિકમાં આ આંકડો 427નો છે.

Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Vibrant Gujarat 2025: ગુજરાતી અને મેવાડી સંસ્કૃતિને ઉજાગર કરતો ‘વાઇબ્રન્ટ ગુજરાત પ્રી-નવરાત્રિ ફેસ્ટિવલ’ ઉદયપુર ખાતે યોજાયો
Ahmedabad Tiruchirappalli Special Train: ચેન્નઈ એગ્મોર સ્ટેશન પર લાઇન અને પાવર બ્લોકના કારણે અમદાવાદ – તિરુચિરાપલ્લી સ્પેશિયલ પરિવર્તિત માર્ગેથી ચાલશે.
Ahmedabad Saharsa Express: અમદાવાદ-બરૌની એક્સપ્રેસનું સહરસા સુધી વિસ્તરણ
Exit mobile version