Site icon

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાનનું હાઈકોર્ટમાં ગજબ નિવેદન; તપાસને ગેરકાયદે ગણાવતાં કહ્યું કસાબને પણ કાયદાનો લાભ મળ્યો હતો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Community

શનિવાર

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે આતંકવાદી કસાબને મળેલા કાયદાકીય ફાયદા હાઈકોર્ટને ગણાવ્યા છે. દેશમુખે શુક્રવારે હાઈ કોર્ટને પોતના નિવેદનમાં ભ્રષ્ટાચારના આરોપ અંગે તેમના વિરુદ્ધ ચાલી રહેલી CBIની તપાસને ગેરકાયદે અને કાનૂની પ્રક્રિયાઓનું ઉલ્લંઘન હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમણે ટાંક્યું હતું કે 26/11ના આતંકવાદી કસાબને પણ કાયદાનો લાભ મળ્યો હતો.

દેશમુખના વકીલ અમિત દેસાઈએ કોર્ટને જણાવ્યું હતું કે એપ્રિલમાં હાઈ કોર્ટના પહેલા આદેશ બાદ CBIએ તપાસ હાથ ધરી હતી, પરંતુ આ નેતા રાજ્યમાં પ્રધાનપદે હોવા છતાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા મહારાષ્ટ્ર સરકારની પરવાનગી લેવામાં આવી ન હતી. મંજૂરી લીધા વિના દેશમુખ વિરુદ્ધ થયેલી કાર્યવાહી ગેરકાયદે હોવાનું કોર્ટને જણાવ્યું હતું. તપાસની મંજૂરી માટે રાજ્યનો સંપર્ક ન કરાયો હોવાથી દેસાઈએ આવું નિવેદન આપ્યું હતું.

મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકડા માં શેરબજારના સેન્સેક્સની જેમ ઉતાર-ચડાવ જારી ; જાણો આજે કેટલા લોકોના થયા મોત

ઉલ્લેખનીય છે કે ત્યાર બાદ કોર્ટમાં દેશમુખે નિવેદન આપતાં કહ્યું હતું કે અમે લાગણીમાં વહી શકીએ છીએ પણ કાયદાની પ્રક્રિયાને નેવે મૂકી શકતા નથી. કસાબ જેવી વ્યક્તિને પણ આ દેશની કાનૂનવ્યવસ્થાનો લાભ મળ્યો હતો. આ દેશમાં તમામ લોકોને કાનૂની પ્રક્રિયાનો લાભ મળે છે.

Mumbai High Court Builder Rent: ભાડું ન ચૂકવનારા બિલ્ડરોની હવે ખેર નથી! મુંબઈ હાઈકોર્ટનો આદેશ – ‘જો ભાડું નહીં આપો તો વેચાણ માટેના ફ્લેટ જપ્ત કરીને હરાજી કરાશે’
Uddhav Thackeray: ઠાકરેની પવારને કડક ચેતવણી: “અમારો સાથ જોઈએ કે અજિતનો?” કાકા-ભત્રીજાની મુલાકાતોથી ઉદ્ધવ કેમ્પમાં ખળભળાટ.
Maharashtra cold: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી: રાજ્યમાં કોલ્ડ વેવનો કહેર, આગામી ૨૪ કલાક માટે હવામાન વિભાગનું મોટું અપડેટ
Uttarakhand Green Cess 2026: નવા વર્ષથી ઉત્તરાખંડમાં એન્ટ્રી મોંઘી: ગ્રીન સેસના નામે વસૂલાશે ચાર્જ, બાઈકથી લઈને બસ સુધીના તમામ વાહનોનું લિસ્ટ જુઓ
Exit mobile version