Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાનનું હાઈકોર્ટમાં ગજબ નિવેદન; તપાસને ગેરકાયદે ગણાવતાં કહ્યું કસાબને પણ કાયદાનો લાભ મળ્યો હતો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૩ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

શનિવાર

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહપ્રધાન અનિલ દેશમુખે આતંકવાદી કસાબને મળેલા કાયદાકીય ફાયદા હાઈકોર્ટને ગણાવ્યા છે. દેશમુખે શુક્રવારે હાઈ કોર્ટને પોતના નિવેદનમાં ભ્રષ્ટાચારના આરોપ અંગે તેમના વિરુદ્ધ ચાલી રહેલી CBIની તપાસને ગેરકાયદે અને કાનૂની પ્રક્રિયાઓનું ઉલ્લંઘન હોવાનું જણાવ્યું હતું. આ સાથે તેમણે ટાંક્યું હતું કે 26/11ના આતંકવાદી કસાબને પણ કાયદાનો લાભ મળ્યો હતો.

દેશમુખના વકીલ અમિત દેસાઈએ કોર્ટને જણાવ્યું હતું કે એપ્રિલમાં હાઈ કોર્ટના પહેલા આદેશ બાદ CBIએ તપાસ હાથ ધરી હતી, પરંતુ આ નેતા રાજ્યમાં પ્રધાનપદે હોવા છતાં તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા મહારાષ્ટ્ર સરકારની પરવાનગી લેવામાં આવી ન હતી. મંજૂરી લીધા વિના દેશમુખ વિરુદ્ધ થયેલી કાર્યવાહી ગેરકાયદે હોવાનું કોર્ટને જણાવ્યું હતું. તપાસની મંજૂરી માટે રાજ્યનો સંપર્ક ન કરાયો હોવાથી દેસાઈએ આવું નિવેદન આપ્યું હતું.

મહારાષ્ટ્રમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીના આંકડા માં શેરબજારના સેન્સેક્સની જેમ ઉતાર-ચડાવ જારી ; જાણો આજે કેટલા લોકોના થયા મોત

ઉલ્લેખનીય છે કે ત્યાર બાદ કોર્ટમાં દેશમુખે નિવેદન આપતાં કહ્યું હતું કે અમે લાગણીમાં વહી શકીએ છીએ પણ કાયદાની પ્રક્રિયાને નેવે મૂકી શકતા નથી. કસાબ જેવી વ્યક્તિને પણ આ દેશની કાનૂનવ્યવસ્થાનો લાભ મળ્યો હતો. આ દેશમાં તમામ લોકોને કાનૂની પ્રક્રિયાનો લાભ મળે છે.

Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Maharashtra FDA Mega Raid। મહારાષ્ટ્રમાં અન્ન અને ઔષધ પ્રશાસનની મોટી કાર્યવાહી, ૩૩ ની ધરપકડ
Pugewadi Pune 8 Deaths। પુગેવાડીમાં રહસ્યમય મોતોનો સિલસિલો, મોતનું અસલી કારણ જાણવા તપાસ તેજ
Maharashtra Weather Alert। હવામાન વિભાગની મોટી ચેતવણી! મહારાષ્ટ્રના આ ૬ જિલ્લાઓમાં કડાકાભડાકા સાથે તૂટી પડશે વરસાદ, જાહેર થયું એલર્ટ
Exit mobile version