Site icon News Continuous Bureau | Mumbai

Ram Mandir: અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હવે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ નહીં જાય..

Ram Mandir: 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ પૂર્ણ થવાની આરે છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે એક સત્તાવાર એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ કરીને મોટી જાહેરાત કરી છે.

Even Maharashtra Chief Minister Eknath Shinde will not go to the Pran Pratishtha Mahotsav of Ram Mandir in Ayodhya

Even Maharashtra Chief Minister Eknath Shinde will not go to the Pran Pratishtha Mahotsav of Ram Mandir in Ayodhya

News Continuous Bureau | Mumbai 

Ram Mandir: સોમવારે, 22 જાન્યુઆરીએ મુખ્યમંત્રી એકનાથ શિંદે ( CM Eknath Shinde ) અને બંને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારને રામ લલ્લાના અભિષેક સમારોહ માટે અયોધ્યા ન જવા માટે કહેવામાં આવ્યું હતું. 

Join Our WhatsApp Channel

મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે સીએમ એકનાથ શિંદે, ફડણવીસ ( Devendra Fadnavis ) અને અજિત પવાર ( Ajit Pawar ) 22 જાન્યુઆરીએ અયોધ્યા નહીં જાય. પરંતુ 22 જાન્યુઆરી પછી તેઓ સમગ્ર કેબિનેટ સાથે રામ મંદિરની મુલાકાત લેશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, કેબિનેટ સાથે રામ મંદિરની મુલાકાત અને દર્શનનો દિવસ અને સમય હજુ નક્કી કરવામાં આવ્યો નથી પરંતુ ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  Ayodhya Shri Ram Mandir : અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ સાંજે આટલા લાખ દીવાઓથી ઝળહળી ઉઠશે રામ નગરી.. યોગી સકરારની યોજના..

 અમે ટૂંક સમયમાં અયોધ્યામાં ( Ayodhya ) દર્શનની તારીખ અને સમય નક્કી કરીશું….

સોશિયલ મીડિયા ‘X’ પર માહિતી આપતાં મુખ્યમંત્રી શિંદેએ કહ્યું કે, “દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રજી મોદીજીએ ( PM Narendra Modi ) કરોડો ભારતીયો અને રામ ભક્તો સાથે મળીને હિન્દુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેનું અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું સ્વપ્ન સાકાર કર્યું છે.” . મોદીજીનો ખૂબ ખૂબ આભાર… સોમવારે અયોધ્યામાં શ્રી પ્રભુ રામચંદ્રની પ્રતિમાનો અભિષેક કરવામાં આવી રહ્યો છે. અમને આ ઐતિહાસિક અને અદ્ભુત પ્રસંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. દેશવાસીઓ માટે ગૌરવની આ અભૂતપૂર્વ ક્ષણ છે. તેથી હું અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અજિતદાદા પવાર અમે નથી આવી રહ્યા. પરંતુ અમે સમગ્ર મંત્રીમંડળ, સાંસદો, ધારાસભ્યો, જનપ્રતિનિધિઓ અને રામ ભક્તો સાથે ભગવાન શ્રી રામના દર્શન કરવા પછીથી જશું. તે માટે અમે ટૂંક સમયમાં અયોધ્યામાં દર્શનની તારીખ અને સમય નક્કી કરીશું.

DRI Wildlife Smuggling Crackdown ડીઆરઆઈનું દેશવ્યાપી અભિયાન વન્યજીવ તસ્કરીમાં બે દીપડાની ચામડી અને ૧૮૦ જીવતા કાચબા જપ્ત, ૧૩ ઝડપાયા
Nitin Gadkari Mumbai Goa Highway મુંબઈગોવા હાઇવેના કામમાં થયેલી ભારે વિલંબ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી નારાજ, કહ્યું ‘ઉદ્ઘાટનમાં નહીં આવું, મને શરમ આવે છે’
Ujjain Khade Hanuman Temple મંદિર તૂટ્યું, વાનરો ઉમટ્યા પણ હનુમાનજીની મૂર્તિ અડીખમ; ભક્તો કહે છે ચમત્કાર, તંત્ર બોલ્યું અમે પ્રયાસ નથી કર્યો
Abu Salem Plea Rejected ગેંગસ્ટર અબુ સલેમની વહેલી મુક્તિની અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી, ૧૯૯૩ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો છે મામલો
Exit mobile version