Site icon

દેવેન્દ્ર ફડનવીસે ગૃહમંત્રી અનિલ દેશમુખને બરાબર આટામાં લીધા. વિધાનસભામાં આ પગલું ભર્યું. સત્તાધારી સ્તબ્ધ.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

10 માર્ચ 2021

મનસુખ હિરેન હત્યા પ્રકરણે સભાગૃહમાં રાજ્ય સરકારના ભુક્કા બોલાવનાર દેવેન્દ્ર ફડણવીસે એક બીજું હથિયાર ઉગામ્યું છે. આ અચૂક હથિયાર ગૃહ મંત્રી અને દેશમુખ અને પૂર્વ મુખ્યમંત્રી અશોક ચવ્હાણ પર ચલાવવામાં આવ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં 'હક ભંગ' પ્રસ્તાવ રજૂ કર્યો છે. જ્યારે કોઇ જવાબદાર અને મહત્વપૂર્ણ વ્યક્તિ વિધાનસભામાં બીજી કોઈ વ્યક્તિ અથવા વિષય પર ખોટું નિવેદન આપીને વિધાનસભાને ગેરમાર્ગે દોરે ત્યારે આ પ્રસ્તાવ લાવવામાં આવે છે. આ પ્રસ્તાવ આવતાની સાથે ભલભલાના પરસેવા નીકળી જાય છે.

ગઈ કાલે કોંગ્રેસ અને એનસીપીએ દેવેન્દ્ર ફડનવીસ પર અન્વય નાઇક હત્યા સંદર્ભે ગંભીર આરોપ લગાવ્યા હતા.

હવે દેવેન્દ્ર ફડનવીસે ચેલેન્જ ફેંકી છે કે આ આરોપીને સાબિત કરવામાં આવે અથવા આરોપ લગાવનાર વ્યક્તિ પર કાનૂની કાર્યવાહી થાય.

દેવેન્દ્ર ફડણવીસની આ કાર્યવાહીને કારણે સત્તાધારીઓ હલી ગયા છે.

મનસુખ હિરણ હત્યાકાંડ મામલે સચિન વઝે બદલી થશે. પણ બીજી કોઈ જ કાર્યવાહી નહીં. જાણો વિગત.
 

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version