Site icon

લો બોલો! આ રાજ્યોમાં વળતર મેળવવા સૌથી વધુ બન્યા બનાવટી ડેથ સર્ટિફિકેટ, કોરોના મૃતકોના વળતરને લઈ સરકારનો સુપ્રીમમાં ચોંકવનારો ખુલાસો…

News Continuous Bureau | Mumbai

કોરોનાથી મૃત્યુ પામેલાઓના સંબંધીઓને સરકાર તરફથી વળતર આપવામાં આવી રહ્યું છે. જોકે આ વળતર મેળવવા માટે ગુજરાત, મહારાષ્ટ્ર, કેરળ અને આંધ્રપ્રદેશમાં સૌથી વધુ બનાવટી ડેથ સર્ટિફિકેટ બન્યા હોવાની ચોંકાવનારી વિગત કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપી છે.

Join Our WhatsApp Community

કોરાનાથી થયેલા મૃત્યુમાં વળતર મેળવવા માટે નકલી સર્ટિફિકેટ બનાવવા અને વળતરની અરજીની સમયમર્યાદા નક્કી કરવાના કેસમાં સુપ્રીમ કોર્ટે સોમવારે સુનાવણી પૂરી કરી હતી અને ચુકાદો અનામત રાખ્યો છે. આ દરમિયાન કોર્ટે નકલી સર્ટિફિકેટની રેન્ડમ તપાસ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પાસે કરાવવાનો સંકેત પણ આપ્યો હતો.

આ સમાચાર પણ વાંચો :  શોકિંગ! ભાજપના પ્રેમમાં મહિલાનું ઘર ભાંગ્યુ, ભાજપને મત આપતા પતિએ ઘરમાંથી કાઢી મૂકી. છૂટાછેડાની ધમકી આપી હોવાની મહિલાએ પોલીસને કરી ફરિયાદ જાણો વિગતે

સુપ્રીમમાં ચાલી રહેલી સુનાવણીમાં જસ્ટિસની બેન્ચે કહ્યું હતું કે કોરોનાથી મોતના મામલામા અરજી માટે 60 દિવસ અને ભવિષ્યમાં કોરોનાથી થતા મોત માટે 90 દિવસની સમય મર્યાદા નક્કી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના પરિવારજનોને 50,000 રૂપિયા સુધીનું વળતર આપવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ દેશભરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી આ વળતર ચૂકવવામાં આવ્યું હતું. 
અનેક રાજ્યોમાં વળતર માટે નકલી સર્ટિફિકેટ બની રહ્યા હોવા બાબતે સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.

Ahmedabad Railway Division: અમદાવાદ મંડળમાં ડિસેમ્બર 2025 થી 19 ફેબ્રુઆરી 2026 સુધી 484 એલાર્મ ચેન પુલિંગની ઘટનાઓ નોંધાઈ
SSC Board Exam Scam: એસએસસી બોર્ડની પરીક્ષામાં મોટું કૌભાંડ: સોલાપુરમાં ગુજરાતી (મરાઠી) પેપર દરમિયાન 10 ડમી વિદ્યાર્થીઓ ઝડપાયા.
Rahul Gandhi Mumbai Visit: મુંબઈના પ્રવેશદ્વાર પર રાહુલ ગાંધીનો ભારે વિરોધ: ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દેખાવકારોએ બતાવ્યા કાળા વાવટા.
Ahmedabad Railway Division: મિશન ઝીરો સ્ક્રેપ હેઠળ અમદાવાદ મંડળે સ્ક્રેપ વેચાણમાં 60 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો
Exit mobile version