Site icon

બિહારમાં તેજસ્વી યાદવ સહિત 6 નેતાઓ પર લાગ્યો પૈસા લઈને ટિકિટ ન આપવાનો આરોપ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 23 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર

રાજનીતિમાં હમણાંથી ઘણાં નેતાઓ પર કોઈના કોઈ બાબત પર આરોપ લાગતા આવ્યા જ છે. બિહારમાં એક નહીં પણ 6-6 નેતાઓ પર આરોપ લાગ્યો છે.

Join Our WhatsApp Community

વિપક્ષના નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસના નેતા મદન મોહન ઝા, રાજ્યસભાના સાંસદ મીસા ભારતી સહિત છ નેતાઓ સામે પૈસા લઈને ટિકિટ ન આપવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. પટણા કોર્ટના આદેશ બાદ કોતવાલી પોલીસ સ્ટેશને આ કાર્યવાહી કરી છે. હકીકતમાં, કોંગ્રેસના નેતા સંજીવ કુમાર દ્વારા લોકસભા ચૂંટણી 2019 દરમિયાન પાંચ કરોડ રૂપિયામાં આ લોકોને ટિકિટ ન આપવા બદલ સીજીએમ કોર્ટમાં ફરિયાદ પત્ર દાખલ કરવામાં આવ્યો હતો, જેની સુનાવણી બાદ કોર્ટે પટણાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો.

ગ્લોબલ કોવિડ સમિટમાં વડાપ્રધાન મોદીએ વિશ્વને આપ્યો સંદેશ, ભારતે કોરોના દરમિયાન આટલા દેશોની કરી મદદ; જાણો વિગતે

આરજેડી તમામ આરોપોને નકારે છે

તે ઉલ્લેખનીય છે કે પટના કોર્ટે વિપક્ષના નેતા તેજસ્વી યાદવ સહિત છ નેતાઓ સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યા બાદ રાજ્યના રાજકીય તાપમાનમાં વધારો થયો હતો. શાસક પક્ષના નેતાઓ તેજસ્વી અને લાલુ પરિવાર પર હુમલા કરી રહ્યા હતા. ભૂતકાળમાં તમામ આરોપોને નકારતા, આરજેડીના પ્રવક્તા મૃત્યુંજય તિવારીએ કહ્યું હતું કે કેટલાક વિક્ષિપ્ત મનના લોકો સસ્તી લોકપ્રિયતા માટે આવા કામ કરે છે. આ એ જ લોકો છે જેઓ હોર્ડિંગ બેનરો લગાવીને પોતાને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરે છે. પરંતુ તે બધાને ખબર છે કે જે આક્ષેપો કરવામાં આવ્યા છે તે બકવાસ અને પાયાવિહોણા છે.

તેમણે મીડિયાહાઉસને કહ્યું હતું કે "આ રોગથી પીડિત લોકો છે, જે સસ્તી લોકપ્રિયતા માટે આવા કામ કરી રહ્યા છે. આરોપોમાં કેટલી યોગ્યતા છે, તેની તપાસ કોર્ટ દ્વારા થવી જોઈએ. તેઓએ આરોપ લગાવનારની હેસિયત પણ જોવી જોઈએ કે તે 5 કરોડ આપી શકે એમ છે કે નહીં. પુરાવા વગર આરોપો લગાવવા યોગ્ય નથી. કાયદાકીય રીતે તેનો જવાબ આપવામાં આવશે. આરોપ સંપૂર્ણપણે ખોટો છે.”

શું છે સમગ્ર મામલો?

તે ઉલ્લેખનીય છે કે કોર્ટે આરજેડીના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના નાના પુત્ર અને વિપક્ષના નેતા તેજસ્વી યાદવ, મીસા ભારતી સહિત છ લોકો સામે એફઆઈઆર નોંધવાનો આદેશ આપ્યો હતો. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે પટના સિવિલ કોર્ટમાં દાખલ કરેલા કેસમાં આ આદેશ આપ્યો છે. આ કેસમાં ફરિયાદ પત્ર કોતવાલી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર  માટે મોકલવામાં આવ્યો હતો. આ કેસ લોકસભા ચૂંટણીમાં ટિકિટ આપવાના નામે પાંચ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો છે. આ સાથે તેજસ્વી યાદવ પર જાનથી મારી નાખવાની ધમકી આપવાનો પણ આરોપ છે.

એ પણ જાણીતું છે કે કોંગ્રેસના નેતા અને એડવોકેટ સંજીવકુમાર સિંહે ગયા મહિને 18 ઓગસ્ટના રોજ પટનાની સીજેએમ કોર્ટમાં ફરિયાદ પત્ર દાખલ કર્યો હતો. તેમાં સંજીવકુમાર સિંહે બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવ, રાજ્યસભાના સભ્ય મીસા ભારતી અને બિહાર કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ મદન મોહન ઝા સહિત છ લોકો પર આરોપ લગાવ્યા છે. આ પછી, 16 સપ્ટેમ્બરે, પટના એસએસપી ઉપેન્દ્ર શર્મા દ્વારા, કોતવાલી પોલીસ સ્ટેશનના અધિકારીને કેસ નોંધવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર રાજ્ય માનવ અધિકાર આયોગ પોતે માંદુ છે. બીજાની મદદ શું કરશે? બોમ્બે હાઇકોર્ટની કડક ચેતવણી.

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version