Site icon

દિલ્હી પોલીસ એક્શન મોડમાં, ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર મામલે કરી આ મોટી કાર્યવાહી ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

દેશની રાજધાની દિલ્હીનાં જંતર-મંતર પર 8 ઓગસ્ટનાં રોજ પ્રદર્શન દરમિયાન ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચારની બાબત ગંભીર બની છે. 

મંગળવારે મોટી કાર્યવાહી કરતા દિલ્હી પોલીસે વકીલ અશ્વિની ઉપાધ્યાય સહિત 6 લોકોને કસ્ટડીમાં લીધા છે. 

જંતર -મંતર પર ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર સંબંધિત કેસમાં દિલ્હી પોલીસે ભાજપનાં પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય સહિત 6 લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. 

અશ્વિની ઉપાધ્યાય સિવાય અન્ય 5 લોકોનાં નામ વિનોદ શર્મા, દીપક સિંહ, વિનીત ક્રાંતિ, પ્રીત સિંહ અને દીપક છે. 

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ મામલે દિલ્હી ભાજપનાં પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય તરફથી સ્પષ્ટતા આવી હતી. તેમણે કહ્યું કે, 8 ઓગસ્ટનાં રોજ સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અંતર્ગત જંતર-મંતર પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં માત્ર 50 લોકોને આમંત્રિત કરાયા હતા પરંતુ ત્યાં લોકોની વધતી સંખ્યાને કારણે તેઓ ચાલ્યા ગયા હતા.

મુંબઈ મનપાની વોર્ડ ઓફિસ સહિત આટલા રેલવે સ્ટેશન પર મળશે ક્યુઆર કોર્ડ માટેનો પાસ જાણો વિગત

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version