બોમ્બે હાઈકોર્ટે કાંદિવલીની હીરાનંદની સોસાયટીમાં થયેલા બોગસ રસીકરણ મામલે ચિંતા વ્યક્ત કરી છે.
કોર્ટે રાજ્ય અને બીએમસીને છેતરપિંડી કે બનાવટી રસીકરણ અભિયાનની ઘટનાઓથી બચવા માટે જરૂરિયાત આધારિત નીતિ ઘડવાનો નિર્દેશ આપ્યો છે.
સાથે જ ખંડપીઠે રાજ્ય સરકારને 24 જૂન સુધીમાં આ ઘટના અંગેની પોલીસ તપાસનો પ્રગતિ અહેવાલ સુપરત કરવા આદેશ આપ્યો છે.
