Site icon News Continuous Bureau | Mumbai

રાજ્યના ૪૦ ટકા વિદ્યાર્થીઓનો CETની પરીક્ષાઆપવાનો ઇનકાર; ૨૬ ટકા વિદ્યાર્થીઓ હજી અસમંજસમાં, સર્વેમાં સામે આવ્યો વિદ્યાર્થીઓનો મત, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Channel

શુક્રવાર

રાજ્યમાં હાલ CET મુદ્દે ઊહાપોહ છે. હવે આ ચર્ચા માત્ર પરીક્ષા સુધી સીમિત ન રહેતાં શૈક્ષણિક ડિબેટનો વિષય બની ગઈ છે. તાજેતરમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયા દ્વારા કરાયેલા એક સર્વેમાં જણાયું છે કે રાજ્યના ૪૦% વિદ્યાર્થીઓ CETની પરીક્ષા આપવા ઇચ્છતા નથી. બીજી બાજુ, ૨૬% વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા, ન આપવાની અસમંજસમાં છે. સર્વેના આંકડા મુજબ ૧,૮૦૦માંથી માત્ર ૫૮૮ વિદ્યાર્થીઓ જ CETની પરીક્ષાઆપવા માગે છે.

સર્વેમાં ૧૧% વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ CETની પરીક્ષાઆપવા માટે વિશેષ ક્લાસમાં પણ જોડાયા છે, તો ૩૦% વિદ્યાર્થીઓ પોતાના વતનમાં છે, જેમણે CETની પરીક્ષાઆપવા માટે ફરી આવવું પડશે. હાલ CETના પૉર્શનનો મુદ્દો હાઈકોર્ટમાં છે. શિક્ષણ વિભાગે કહ્યું છે કે આ પરીક્ષા SSCના અભ્યાસક્રમ પ્રમાણે લેવાશે, પરંતુ બીજા બોર્ડના વિદ્યાર્થીઓનું શું થશે, એ ખૂબ જ મોટો પ્રશ્ન છે.

એક વાલીએ આ સર્વેમાં જણાવ્યું હતું કે બીજા બોર્ડના વિદ્યાર્થીઓ SSCનો અભ્યાસક્રમ એક મહિનામાં ભણે એવી બોર્ડની અપેક્ષા સદંતર ખોટી છે.ઉપરાંત ઑફલાઇન પરીક્ષા લેવી કેટલી સુરક્ષિત છે એ પ્રશ્ન પણ વાલીઓને ખૂબ જ સતાવી રહ્યો છે.

ઉલ્લેખનીય છે કે અન્ય બોર્ડના કોઈ વિદ્યાર્થીએ અમુક વિષય વિકલ્પમાં છોડી દીધા હોય તેવા વિદ્યાર્થીઓનું શું? એવો પ્રશ્ન પણ એક વિદ્યાર્થીએ કર્યો હતો. એક ખૂબ જ મોટો પ્રશ્ન હજી પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને સતાવી રહ્યો છે કે જો CETમાં બોર્ડ કરતાંઓછા ગુણ આવે તો કયા ગુણને આધારે ઍડ્મિશન આપવામાં આવશે? આ સંદર્ભે હજી બોર્ડે સ્પષ્ટતા કરી નથી.

Manipur Violence મણિપુરમાં ભારે બબાલ 6 લોકોની ઘાતકી હત્યા, મૃતદેહ જોઈને લોકો ધ્રુજી ઉઠ્યા
Ferry Boat Service Suspended ચોમાસામાં ખાસ ફેરીબોટ સેવા બંધ; 15 જૂનથી 31 જુલાઈ સુધી પ્રવાસ ઠપ્પ
IMD Monsoon Update Maharashtra મહારાષ્ટ્રમાં ચોમાસા પર લાગી બ્રેક સોલાપુરહર્ણેમાં પવનો થંભી જતાં ખેડૂતો ચિંતિત, વાવણી ખોરવાઈ!
Maharashtra Politics Shocker ઠાકરે જૂથમાં ફરી મોટું ગાબડું પડવાની તૈયારીમાં? ૭ સાંસદોના પક્ષપલટાની ચર્ચાથી મુંબઈ સુધી દોડધામ!
Exit mobile version