Site icon News Continuous Bureau | Mumbai

G Ram G Bill: ઓમ બિરલાનો રૌદ્ર અવતાર: સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ, વિપક્ષના હોબાળા વચ્ચે પણ બિલ મંજૂર

મનરેગા કાયદામાં ફેરફાર અને તેનું નામ બદલવાને લઈને લોકસભામાં સરકાર અને વિપક્ષ વચ્ચે તીખી તકરાર જોવા મળી હતી. વિપક્ષી સાંસદો આ બિલને સ્ટેન્ડિંગ કમિટી પાસે મોકલવાની માંગ કરી રહ્યા હતા, જે સ્પીકરે ફગાવી દીધી હતી

G Ram G Bill ઓમ બિરલાનો રૌદ્ર અવતાર સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ

G Ram G Bill ઓમ બિરલાનો રૌદ્ર અવતાર સંસદમાં હંગામો જોઈ સ્પીકર થયા લાલઘૂમ

News Continuous Bureau | Mumbai
સંસદના શિયાળુ સત્રમાં આજે લોકસભામાં ‘જી રામ જી બિલ’ (G Ram G Bill) ને લઈને ભારે હોબાળો થયો હતો. આ વિધેયક મનરેગા (MGNREGA) નું સ્થાન લેશે. વિપક્ષી સભ્યોએ બિલની નકલો ફાડીને હવામાં ઉછાળી હતી, જેના પર સ્પીકર ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “જનતાએ તમને કાગળ ફાડવા માટે સંસદમાં નથી મોકલ્યા.”

મનરેગાનું સ્થાન લેશે ‘જી રામ જી વિધેયક’

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલું આ નવું બિલ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ (મનરેગા) ની જગ્યા લેશે.કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત વિપક્ષી સભ્યોએ આક્ષેપ કર્યો કે કાયદામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવવું એ રાષ્ટ્રપિતાનું અપમાન છે.વિપક્ષે એવી પણ દલીલ કરી કે આ નવો કાયદો રાજ્યોની તિજોરી પર વધુ આર્થિક બોજ નાખશે.

Join Our WhatsApp Channel

શિવરાજ સિંહ ચૌહાણનો વળતો પ્રહાર

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સરકારનો પક્ષ રાખતા વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા.ચૌહાણે કહ્યું કે, “મનરેગા ભ્રષ્ટાચારનું માધ્યમ બની ગયું હતું. આ નવો કાયદો તમામ હિતધારકો સાથે ચર્ચા કર્યા બાદ લાવવામાં આવ્યો છે.”તેમણે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે જેમણે માત્ર નેહરુના નામ પર કાયદા બનાવ્યા છે, તેઓ હવે સરકાર પર સવાલ ઉઠાવી રહ્યા છે. મોદી સરકારનું ધ્યાન નામ પર નહીં પણ કામ પર છે.

આ સમાચાર પણ વાંચો : Indian Railways Luggage Rules: ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા સાવધાન! 40 કિલોથી વધુ સામાન હશે તો ભરવો પડશે મસમોટો દંડ, જાણી લો રેલવેનો નવો નિયમ

સંસદમાં હંગામો અને સ્પીકરની નારાજગી

જ્યારે વિધેયક પસાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ, ત્યારે વિપક્ષી સભ્યો ગૃહની વચ્ચે (વેલ) આવી ગયા હતા. ટીઆર બાલૂ (DMK) અને ધર્મેન્દ્ર યાદવ (SP) સહિતના સાંસદોએ બિલની નકલો ફાડી હતી.સ્પીકર ઓમ બિરલાએ સખત શબ્દોમાં કહ્યું, “આખો દેશ તમને જોઈ રહ્યો છે. જનતાએ તમને કાગળ ફાડવા કે ફેંકવા માટે અહીં નથી મોકલ્યા, સકારાત્મક ચર્ચા માટે મોકલ્યા છે.”લોકસભામાં ભારે અંધાધૂંધી વચ્ચે આ બિલ પસાર થઈ ગયું છે. હવે આ વિધેયકને રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે, જ્યાં પણ વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ કરવામાં આવે તેવી શક્યતા છે.

Uddhav Thackeray PM Modi meeting criticism સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલુ છે ને ત્યાં મુલાકાતોનો દોર શરૂ! ઉદ્ધવ ઠાકરેએ કેન્દ્ર સરકાર અને શિંદે જૂથને ઘેર્યા
Malshej Ghat Kalu Waterfall Selfie Rescue માલશેજ ઘાટના કાળુ ધોધ પર સેલ્ફી લેતી વખતે યુવકનો લપસ્યો પગ, પ્રવાસીઓએ આ રીતે બચાવ્યો જીવ
Eknath Shinde Narendra Modi Meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા, દિલ્હીમાં બેઠક અંગે આપ્યું મોટું નિવેદન
Delimitation Bill Tamil Nadu Controversy દક્ષિણ ભારતની સીટો ઘટવાનો ડર! DMK અને વિપક્ષી નેતાઓ લાલઘૂમ, કેન્દ્ર સામે આક્રમક વલણ!
Exit mobile version