Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ સહિત રાજ્યમાં ગણેશોત્સવ ઉજવાશે પરંતુ શોભાયાત્રા નહીં નીકળે – ઉદ્ધવ ઠાકરે

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

18 જુન 2020

સાચું છે કે આ વર્ષે ગણેશોત્સવ રાબેતા મુજબ ધામધૂમથી નહીં ઉજવાય . કોરોનાને કારણે ભીડ ભેગી ના થાય એનું ધ્યાન રાખવાનું હોવાથી ગણપતિ ના સ્થાપના દિને કે વિસર્જનમાં શોભાયાત્રા કાઢવા પાર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું કે આ વર્ષે તહેવાર ખૂબ જ સરળ અને સાદી રીતે જ ઉજવાશે. કોરોનાનો વ્યાપ વધ્યો હોવાથી કોઈ જાતની મંજૂરી આપવામાં આવશે નહીં.. આગામી ગણેશોત્સવમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સંદર્ભે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આજે મંત્રાલય ખાતે એક બેઠક મળી હતી. તે સમયે તે ઉદ્ધવ ઠાકરેએ આ વાત કરી હતી.

આ બેઠકમાં ગૃહમંત્રી, મુંબઇના મેયર, મુખ્ય સચિવ, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ, રાજ્યના પોલીસ મહાનિર્દેશક, મુંબઇ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર, પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના સભ્ય સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ, બૃહદમુંબઇ જાહેર ગણેશોત્સવ સમિતિના અધ્યક્ષ, રાજ્યભરના ગણેશ મંડળના પ્રતિનિધિઓ, શિલ્પકારો મંડળના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા . 

જેમાં ગણેશ મંડળો દ્વારા સામાજિક જાગૃતિ કેવી રીતે લાવવી અને આ ઉત્સવની ઉજવણી કેવી રીતે કરવી તે વિશે વિચારણા કરી આ માટે સૌને સહયોગ આપવા અપીલ કરી છે. સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપવા બદલ તમામ ગણેશ મંડળોનો આભાર માન્યો છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

Natural Farming Success Story સુરેન્દ્રનગરના પ્રગતિશીલ ખેડૂતનો અનોખો પ્રયોગ, માત્ર ૧૦ રૂપિયામાં મેળવ્યું નિંદામણમાંથી મુક્તિ
FDA Bans Loose Edible Oil Sale મહારાષ્ટ્ર FDAનો મોટો નિર્ણય રાજ્યભરમાં છૂટક ખાદ્યતેલ વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ, ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે થશે કડક કાર્યવાહી
Supreme Court Shiv Sena Hearing ‘૫ માંથી ૩ ધારાસભ્યો તૂટે એટલે શું આખો પક્ષ જ સોંપી દેવાનો?’ સુપ્રીમ કોર્ટમાં વકીલનો તીખો સવાલ
JSSC Recruitment Exams હાઈકોર્ટનો મોટો આદેશ JSSCCGL સહિતની પરીક્ષાઓ રદ્દ કરવાનો નિર્ણય સ્થગિત
Exit mobile version