Site icon

Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો

મુંબઈ/વિશાખાપટ્ટનમ, 13 નવેમ્બર, 2025 – ભારતના સૌથી મોટા ડાયવર્સિફિડ એગ્રી-ફૂડ બિઝનેસીસમાં સ્થાન ધરાવતી ગોદરેજ એગ્રોવેટ લિમિટેડે (Godrej Agrovet) આંધ્ર પ્રદેશ સરકાર સાથે બંધનકર્તા ન હોય તેવો એક એમઓયુ કર્યો હતો.

Godrej Agrovet MoU, 70 crore investment ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર

Godrej Agrovet MoU, 70 crore investment ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર

News Continuous Bureau | Mumbai

Godrej Agrovet MoU, ₹70 crore investment મુંબઈ/વિશાખાપટ્ટનમ, 13 નવેમ્બર, 2025 – ભારતના સૌથી મોટા ડાયવર્સિફિડ એગ્રી-ફૂડ બિઝનેસીસમાં સ્થાન ધરાવતી ગોદરેજ એગ્રોવેટ લિમિટેડે (Godrej Agrovet) આંધ્ર પ્રદેશ સરકાર સાથે બંધનકર્તા ન હોય તેવો એક એમઓયુ કર્યો હતો. આ એમઓયુ હેઠળ કંપની તેના ડેરી બિઝનેસમાં ડેરી પ્રોસેસીંગ અને વેલ્યુ-એડેડ પ્રોડક્ટ ક્ષમતાઓ વધારવા માટે અને પામ ઓઇલ ખેડૂતો માટે વન-સ્ટોપ સોલ્યુશન સેન્ટર એવા નવા સમાધાન સેન્ટર્સ ઊભા કરવા માટે રૂ. 70 કરોડનું રોકાણ કરશે.

Join Our WhatsApp Community

આંધ્ર પ્રદેશના માનનીય મુખ્ય પ્રધાન શ્રી નર ચંદ્રબાબુ નાયડુ ગારુ, ગોદરેજ એગ્રોવેટના એમડી અને સીઈઓ સુનીલ કટારિયા અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપના કોર્પોરેટ અફેર્સના ગ્રુપ પ્રેસિડેન્ટ રાકેશ સ્વામીની હાજરીમાં આ એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આંધ્રપ્રદેશના માનનીય મુખ્યપ્રધાન શ્રી નર ચંદ્રબાબુ નાયડુ ગારુએ જણાવ્યું હતું કે, “આપણી જમીનના ખેડૂતો માટે એગ્રો-ફૂડ પ્રોસેસિંગ સેક્ટરને મજબૂત બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિશામાં આગળ વધવા માટે અમે ગોદરેજ એગ્રોવેટ સાથે ભાગીદારી કરીને આનંદ અનુભવીએ છીએ, જે એક મજબૂત અને વિશ્વસનીય ભાગીદાર છે. મને વિશ્વાસ છે કે આ ભાગીદારી ન કેવળ આપણી કૃષિ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મદદ કરશે પરંતુ આર્થિક વિકાસને વેગ આપતી વખતે મોટાપાયે સમુદાય માટે ટકાઉ આજીવિકા પણ ઊભી કરશે.”

આ સમાચાર પણ વાંચો : Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ

ગોદરેજ એગ્રોવેટના સીઈઓ અને એમડી સુનિલ કટારિયાએ જણાવ્યું હતું કે, “અમે આંધ્રપ્રદેશ સરકારના આભારી છીએ કે તેમણે એક એવી ઇકોસિસ્ટમ બનાવી છે જે વ્યવસાયોને ટેકો આપે છે અને સમુદાયોનું ઉત્થાન કરે છે.

આજનો એમઓયુ ખેડૂતોને સશક્ત બનાવવા સાથે અમારી એગ્રો-ફૂડ પ્રોસેસિંગ ક્ષમતાઓને મજબૂત કરવાના અમારા ઇરાદાનો પુરાવો છે. ફૂડ પ્રોસેસિંગમાં નવીનતાના મજબૂત વારસા સાથે, અમારું મિશન ભારતના પોષણના ક્ષેત્રને આગળ વધારવા અને કૃષિ-અર્થતંત્રના વિકાસમાં યોગદાન આપવાનું છે.”

ગોદરેજ એગ્રોવેટની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ક્રીમલાઇન ડેરી પ્રોડક્ટ્સ લિમિટેડ, જે ગોદરેજ જર્સી બ્રાન્ડ નામ હેઠળ પ્રોડક્ટ્સ વેચે છે, તે ત્રણ તબક્કામાં તેની ડેરી પ્રોસેસિંગ અને વેલ્યુ-એડેડ પ્રોડક્ટ્સ ક્ષમતાઓનું વિસ્તરણ કરશે.

કંપનીનો ઓઇલ પામ બિઝનેસ, જે ભારતમાં સૌથી મોટો ઓઇલ પામ પ્રોસેસર છે અને પાકના સમગ્ર જીવનચક્ર માટે ખેડૂતો સાથે સીધી કામગીરી કરે છે, તે પાંચ નવા સમાધાન કેન્દ્રો સ્થાપશે. સમાધાન એક વન સ્ટોપ સોલ્યુશન સેન્ટર છે જે ઓઇલ પામ ખેડૂતોને જ્ઞાન, સાધનો, સેવાઓ અને ઉકેલોનું વ્યાપક પેકેજ પૂરું પાડશે.

ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપના ગ્રુપ પ્રેસિડેન્ટ – કોર્પોરેટ અફેર્સ રાકેશ સ્વામીએ જણાવ્યું હતું કે, “આંધ્રપ્રદેશ ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રુપ માટે એક મુખ્ય રાજ્ય રહ્યું છે, જે તમામ ક્ષેત્રોમાં અમારા વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. આ એમઓયુ પર હસ્તાક્ષર રાજ્યના વ્યવસાય કરવાની ઝડપ અને ભાગીદારીલક્ષી અભિગમને દર્શાવે છે, ખાસ કરીને તેની સુવ્યવસ્થિત મંજૂરી પ્રક્રિયા અને રોકાણકાર-મૈત્રીપૂર્ણ નીતિઓ દ્વારા. અમે આંધ્રપ્રદેશની વૃદ્ધિની વાર્તામાં યોગદાન આપવા માટે આતુર છીએ અને ગ્રાહક, રિયલ એસ્ટેટ અને ફાઇનાન્સ વ્યવસાયમાં પણ અમારા જૂથની હાજરીને વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છીએ.”

 

Sunetra Pawar: NCPમાં ‘સુનેત્રા યુગ’નો પ્રારંભ! હવે સંગઠનની કમાન પણ સુનેત્રા પવારના હાથમાં,ભાજપમાં વિલીનીકરણની વાતો પર લાગ્યું પૂર્ણવિરામ
Maharashtra: શિક્ષણ પાછળ સરકારનો મોટો ખર્ચ: મહારાષ્ટ્ર સરકારે મંજૂર કર્યા ₹165 કરોડ, 41 લાખ બાળકોના ખભા પર હશે નવા-નક્કોર સરકારી દફતર
Ahmedabad Air India Crash: અમદાવાદ પ્લેન દુર્ઘટના પાછળ પાઈલટનું ખતરનાક કાવતરું? ટેકનિકલ ખામી નહીં પણ આત્મઘાતી કદમની આશંકા, જાણો તપાસ રિપોર્ટની હકીકત
Maharashtra: બોર્ડની પરીક્ષા કે ચોરીનો અડ્ડો? ૧૨મા ધોરણમાં સામૂહિક ચોરીથી શિક્ષણ મંત્રી રોષે ભરાયા, હવે શાળાઓની માન્યતા રદ થવા સુધી આવશે નોબત!
Exit mobile version