News Continuous Bureau | Mumbai

Slum Rehabilitation Scheme- મુંબઈગરાઓ માટે સારા સમાચાર! જો તમે પણ ‘આ’ વિસ્તારમાં રહેતા હોવ તો મળશે મકાન, રાજ્ય સરકારનો નિર્ણય

Slum Rehabilitation Scheme- મુંબઈના રહેવાસીઓને લઈને રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. આ અંતર્ગત મલાડના રહેવાસીઓને ઘર મળશે. પરંતુ તે ખરેખર ક્યો વિસ્તાર છે ?

Good news for Mumbaikars! If you also live in 'this' area, you will get a house, the decision of the state government

News Continuous Bureau | Mumbai

ભાજપે દાવો કર્યો છે કે સ્લમ રિહેબિલિટેશન સ્કીમ દ્વારા હવે પહેલા માળે રહેતા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘરો મેળવવા માટે મંજૂરી આપવામાં આવી છે. મલાડના જાનુ ભોયેનગરના રહેવાસીઓના પ્રસ્તાવને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયના આધારે મુંબઈના અન્ય ભાગોમાં ચાલીના પહેલા માળે રહેતા રહેવાસીઓને પણ ઘર મળવાની શક્યતા છે.

Join Our WhatsApp Channel

Slum Rehabilitation Scheme- ફડણવીસે હકારાત્મક વલણ બતાડ્યુ.

6 સપ્ટેમ્બર, 2019 ના રોજ, સરકારના કાયદા અને ન્યાય વિભાગે પ્રથમ માળે રહેતા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને મકાનો આપવા માટે રાજ્ય સરકારને દરખાસ્ત મોકલી હતી. ઉપરાંત, 28 સપ્ટેમ્બર 2022ના રોજ મ્હાડાના હેડક્વાર્ટર ખાતે યોજાયેલી બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન અને આવાસ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે જૂની ચાલીના પહેલા માળે રહેતા ભાડૂતો અંગે સહાનુભૂતિપૂર્ણ અને સકારાત્મક નિર્ણય લેવો જરૂરી છે. ઝૂંપડપટ્ટીની આ બેઠક બાદ આ પ્રસ્તાવ મંત્રાલયમાં જ પડયો રહ્યો હતો. આ સંદર્ભમાં માહિતી લેતા ભાજપના પૂર્વ કોર્પોરેટર વિનોદ મિશ્રા 10 જૂને ફડણવીસને મળ્યા હતા. ફડણવીસે આ પ્રસ્તાવ પર હકારાત્મક નિર્ણય લેવાનું વચન આપ્યું હતું.

Good news for Mumbaikars! If you also live in 'this' area, you will get a house, the decision of the state government

Slum Rehabilitation Scheme- મલાડના જાનુ ભોયેનગરના રહેવાસીઓને મળશે લાભ

દરમિયાન, રવિવાર, 11 જૂન, 2023 ના રોજ, એવી માહિતી આપવામાં આવી છે કે જાનુ ભોયેનગરના પહેલા માળે રહેતા ઝૂંપડપટ્ટીના રહેવાસીઓને સ્લમ રિડેવલપમેન્ટ ઓથોરિટી સ્કીમ, દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન મળશે. ફડણવીસના આ નિર્ણયને કારણે જાનુ ભોયેનગરના અનેક રહેવાસીઓનું સપનું સાકાર થશે. અહીંના ઝૂંપડપટ્ટીના રહેવાસીઓએ પોતાના ઘર માટે 12 વર્ષથી લડત ચલાવી હતી. મલાડ તેમ જ મંત્રાલયમાં ધરણાં યોજાયા હોવાનો નિર્દેશ કરતાં મિશ્રાએ આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે આ નિર્ણયથી ભવિષ્યમાં મુંબઈમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા ઘણા લોકોને ફાયદો થશે.

આ સમાચાર પણ વાંચો :  Rohit Sharma Captain : શું વર્લ્ડ ક્રિકેટ ટેસ્ટના હાર બાદ રોહિત શર્માએ ટેસ્ટ ટીમના કેપ્ટન પદેથી રાજીનામું આપ્યું?

Operation Sindoor Pakistan Ceasefire Secrets Revealed તાબડતોબ હુમલાઓ વચ્ચે સીઝફાયર માટે આજીજી રહ્યું હતું પાકિસ્તાન, ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને થયા મોટા ખુલાસા
Mark Zuckerberg Apologizes India માર્ક ઝુકરબર્ગે માંગી માફી.. આ મામલે કેન્દ્ર સરકાર સામે ઝૂકી મેટા કંપની
Shiv Sena Supreme Court Hearing શિવસેના સુપ્રીમ કોર્ટ સુનાવણી કપિલ સિબ્બલના જોરદાર યુક્તિવાદે મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો લાવ્યો, જાણો સમગ્ર મામલો
Shiv Sena Split BJP Mistake Costly For Shinde શું એકનાથ શિંદે સાથેના ગઠબંધનથી કેસરિયા પક્ષને થશે મોટું નુકસાન? રાજકીય ગલિયારામાં ચર્ચા
Exit mobile version