Site icon

Goods Train collide: પશ્ચિમ બંગાળમાં બે માલગાડીઓ અથડાયા, 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

Goods Train collide: તાજેતરમાં બાલાસોરમાં એક ટ્રેન દુર્ઘટના થઈ હતી જેમાં લગભગ 300 લોકોના મોત થયા હતા. હવે ફરી એકવાર બે માલગાડીના અકસ્માતના કારણે રેલવેની બેદરકારી સામે આવી છે

Goods Train collide: Two freight trains collide in West Bengal, derailing 12 coaches

Goods Train collide: Two freight trains collide in West Bengal, derailing 12 coaches

News Continuous Bureau | Mumbai

Goods Train collide: પશ્ચિમ બંગાળ (West Bengal) ના બાંકુરા (Bankura) ખાતે એક ભયાનક ટ્રેન અકસ્માત થયો છે. આ સ્થળે બે માલગાડીઓ અથડાયા હતા. આ અકસ્માત બાદ ઓછામાં ઓછા 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત સવારે 4 વાગ્યાની આસપાસ ઓંડા સ્ટેશન (Onda Station) પાસે થયો હતો. આ અકસ્માતમાં માલગાડીના ડ્રાઈવરને ઈજા થઈ છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે એક માલગાડીએ બીજી માલગાડીને પાછળથી ટક્કર મારી હતી.

Join Our WhatsApp Community

તાજેતરમાં બાલાસોર (Balasore) માં એક ટ્રેન દુર્ઘટના થઈ હતી જેમાં લગભગ 300 લોકોના મોત થયા હતા. હવે ફરી એકવાર બે માલગાડીના અકસ્માતના કારણે રેલવેની બેદરકારી સામે આવી છે. પશ્ચિમ બંગાળના બાંકુરા ખાતે બે માલગાડીઓ અથડાયા હતા. તેથી હવે રેલ્વે મુસાફરીની સલામતી સામે મોટા પ્રશ્નો ઉભા થયા છે.

આ સમાચાર પણ વાંચો:  શું ક્યારેય OTT પર રિલીઝ નહીં થાય ધ કેરળ સ્ટોરી ? ફિલ્મના નિર્દેશક સુદિપ્તો સેને કર્યો ખુલાસો

 પશ્ચિમ મિદનાપુર, બાંકુરા, પુરુલિયા અને બર્દવાનની ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે.

રેલ્વે અધિકારીઓ તપાસ કરી રહ્યા છે. કે શું તે સિગ્નલની નિષ્ફળતા અથવા ડ્રાઇવરની બેદરકારીને કારણે થયું હતું.

બાંકુરાના ઓંડા રેલ્વે સ્ટેશન પર બે માલસામાન ટ્રેનો અથડાયા બાદ, એક રેલ્વે અધિકારીએ જણાવ્યું હતું કે માલસામાન ટ્રેન (BCN) લાલ સિગ્નલને ઓવરશોટ કરી, રોકાઈ ન હતી અને BRN મેન્ટેનન્સ ટ્રેન સાથે અઠડાઈને પાટા પરથી ઉતરી ગઈ હતી. રેલ્વેએ યુપી મેઈલ લાઈન અને યુપી લૂપ લાઈનને પુનઃસ્થાપિત કરી છે અને ટ્રેનની અવરજવર ફરી શરૂ થઈ છે. અત્યાર સુધીમાં 11 ટ્રેનો રદ કરવામાં આવી છે.

પશ્ચિમ મિદનાપુર, બાંકુરા, પુરુલિયા અને બર્દવાનની ટ્રેન સેવાઓ પ્રભાવિત થઈ છે.

Maharashtra heavy rain: પિતૃપક્ષમાં મુશળધાર વરસાદનું સંકટ, 4 જિલ્લા માટે રેડ એલર્ટ
Gujarat Maternal Mortality Rate: સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ (SRS) મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ ૨૦૨૩માં પ્રતિ એક લાખ જીવિત જન્મે ૫૧ થયો
Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Exit mobile version