Site icon News Continuous Bureau | Mumbai

આ મુદ્દે બોમ્બે  હાઇકોર્ટની કડક ટિપ્પણી પછી મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી ગૃહ પ્રધાન અમિત શાહની મુલાકાતે… જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 14 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Channel

શનિવાર 

ઠાકરે સરકારના વિધાન પરિષદના 12 ધારાસભ્યોની નિમણુંકનો નિર્ણય આઠ મહિના સુધી પેન્ડિંગ રાખવા મામલે બોમ્બે હાઈકોર્ટની કડક ટિપ્પણી બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શુક્રવારે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી. 

આ મુલાકાત અંગે સત્તાવાર માહિતી રાજભવનથી આપવામાં આવી છે. જોકે આ મુલાકાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

ઉલ્લેખનીય છે કે ઠાકરે સરકારના મંત્રીમંડળે મંજૂર કરેલી વિધાન પરિષદના 12 ધારાસભ્યોની નિમણુંક નો મુદ્દો રાજ્યપાલ પાસે નિર્ણય માટે પેન્ડિંગ છે. આ મામલે હાઇકોર્ટમાં અરજી પણ દાખલ કરવામાં આવી હતી.  

અરજી પર સુનાવણીમાં મુંબઈ હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું હતું કે 12 ધારાસભ્યોના પ્રસ્તાવને લાંબા સમય સુધી પેન્ડિંગ રાખી શકાય નહીં. 

જોકે હાઇકોર્ટે આ મામલામાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો છે અને કહ્યું છે કે સરકારના નિર્ણયને સ્વીકારવો કે નકારવો તે રાજ્યપાલ પર નિર્ભર છે.

Indurikar Maharaj Wedding Theft। ઈન્દુરીકર મહારાજની પુત્રીના લગ્નમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો આંતરરાજ્ય ગેંગ ઝડપાઈ, લાખોના દાગીના રિકવર
NCRB 2024 Report। મુંબઈગરાઓ માટે ચિંતાના સમાચાર! મહિલાઓ વિરુદ્ધના ગુનામાં મુંબઈ દેશમાં ટોપ૩ માં, NCRB ના ૨૦૨૪ ના આંકડાએ વધાર્યું ટેન્શન
Maharashtra SSC Result 2026। નોંધી લો લિંક! મહારાષ્ટ્ર બોર્ડ SSC પરિણામની ઘડીઓ ગણાઈ રહી છે, ઓનલાઈન અને ઓફલાઈન રિઝલ્ટ જોવાની સંપૂર્ણ વિગત
Heavy Rain Alert Maharashtra।મહારાષ્ટ્રમાં વરસાદી માહોલ! આગામી ૩ દિવસ મેઘગર્જના સાથે તૂટી પડશે વરસાદ, આ જિલ્લાઓ માટે ખાસ સૂચના
Exit mobile version