Site icon

મહારાષ્ટ્રના રાજ્યપાલ સામે ફરી એક પ્રધાનમંડળ થયું નારાજ, જાણો કેમ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 4 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

બુધવાર

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી રાજ્યના વહીવટમાં વધુ પડતી દખલ કરી રહ્યા હોવાની નારાજગી મહાવિકાસ આઘાડી સરકારના પ્રધાનમંડળે વ્યક્ત કરી છે.

વિધાનપરિષદના 12 સભ્યોની નિમણૂક કરવા સહિત જુદા-જુદા મુદ્દાને લઈને પહેલાંથી રાજ્યપાલ અને મહાવિકાસ આઘાડી વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. એમાં હવે રાજ્યપાલે રાજ્યના જુદા-જુદા જિલ્લાઓમાં અધિકારીઓ સાથે બારોબાર બેઠક કરવાનું ચાલુ કરી દીધું છે. એની સામે પ્રધાનમંડળે વાંધો ઉઠાવ્યો છે.

પશ્ચિમ બંગાળમાં પૂરપ્રકોપ, રાજ્યમાં આટલા લોકોના નિપજ્યા મોત, લાખો લોકો ઘર વિહોણા થયા 

રાજ્યપાલ ત્રણ દિવસ માટે પરભણી, નાંદેડ અને હિંગોલીની મુલાકાતે જવાના છે, ત્યાં અધિકારીઓ સાથે બેઠક કરીને હૉસ્ટેલના ઉદ્ઘાટન કાર્યક્રમમાં હાજરી પુરાવાના છે. એની સામે પ્રધાનમંડળની બેઠકમાં વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. રાજ્યપાલ રાજ્ય સરકારના કારભારમાં હસ્તક્ષેપ કરીને બે સત્તા કેન્દ્ર ઊભાં કરવાના પ્રયાસ કરી રહ્યા છે એવી નારાજગી પ્રધાનમંડળે વ્યક્ત કરી હતી.

Earthquake in Maharashtra: મહારાષ્ટ્રના વાશિમ, યવતમાળ અને નાંદેડમાં ભૂકંપ, જાણો કેટલી હતી તીવ્રતા અને ક્યાં હતું કેન્દ્રબિંદુ.
Historic Verdict:ચૂંટણીના ઈતિહાસમાં પહેલીવાર બદલાઈ જશે EVM તપાસની રીત, હાઈકોર્ટના આ આદેશથી નેતાઓમાં ફફડાટ
Baramati Bypoll 2026:શું બિનહરીફ જંગ શક્ય છે? ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના નિર્ણય પર સૌની નજર!
Instagram Fake Currency Racket: ઇન્સ્ટાગ્રામ પર નકલી નોટોનું રેકેટ: મહારાષ્ટ્ર સાયબર સેલે બે ઠગની કરી ધરપકડ
Exit mobile version